________________
૩૩૮
જ્ઞાનસાર
-
આ પરિગ્રહ-ત્યાગ માટે અહીં દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે જળાશયનું. જેમ પાળીનો ત્યાગ કરવાથી એટલે કે પાળનો નાશ થવાથી જળાશયનું બધું પાણી વહ્યું જાય છે તેમ પરિગ્રહરૂપી પાળનો ત્યાગ કરવાથી બધાં કર્મોનો અનુક્રમે નાશ થાય છે. [૧૯૮] ત્યtપુત્રનેત્ર મૂર્છામુiી યોનિઃ |
વિનીત્રપ્રતિબદ્ધી તે પુર્તિનિયંત્રણ રજાદ્દા [શબ્દાર્થ ? ત્યક્તપુત્રરત્નત્રW=જેઓએ પુત્ર અને સ્ત્રીનો ત્યાગ કર્યો છે; મૂચ્છમુક્તસ્ય મૂચ્છ (મમત્વ)થી મુક્ત છે; યોનિ: યોગીને; વિન્માત્ર=જ્ઞાનમાત્ર; પ્રતિવચ=જે આસક્ત છે; =શું હોય?; પુત્તિનિયંત્રણ પુદ્ગલનું નિયંત્રણ.]
અનુવાદઃ જેણે પુત્ર અને સ્ત્રીનો (સર્વ બંધનનો) ત્યાગ કર્યો છે, જે મૂર્છાથી મુક્ત છે, જે જ્ઞાનમાત્રમાં આસક્ત છે એવા યોગીને પુગલનું શું બંધન હોય? (૬)
વિશેષાર્થ દીક્ષા અનેક લોકો લે છે. તેઓ બધા એક જ કોટિના હોતા નથી. બધાં એકસરખી યોગ્યતાથી, એકસરખા આશયથી દીક્ષા લેતા નથી. એટલે અહીં બધા દીક્ષિત મુનિઓનો વિચાર કરવામાં આવ્યો નથી, પરંતુ જે કોઈ વ્યક્તિએ સ્વેચ્છાપૂર્વક, સમજણપૂર્વક, યોગ્યતાપૂર્વક, મોક્ષપ્રાપ્તિના એક માત્ર ધ્યેયને લક્ષમાં રાખી, સુયોગ્ય ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી હોય અને એ માટે પત્ની, પુત્ર, કુટુંબ પરિવાર, માલમિલકત ઇત્યાદિનો ત્યાગ કર્યો હોય એવા પંચ મહાવ્રતધારી સાધુ મહાત્માએ યોગવહન કરી લીધા હોય અને હવે તેઓને એક માત્ર જ્ઞાન સાથે જ લગાવ હોય એટલે કે હવે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનાની જ લગની લાગી હોય એવા યોગી મહાત્માઓને હવે કોઈ પદ્ગલિક આકર્ષણ ન હોય અને પૌગલિક બંધન કે નિયંત્રણ પણ ન હોય. હવે તેઓ પુદ્ગલથી રાજી ન થાય કે પુદ્ગલથી દબાય કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org