________________
૨૫. પરિગ્રહાષ્ટક
-
૩૩૯
દુભાય પણ નહિ. હવે એવું કોઈ ક્ષેત્ર ન હોય કે જ્યાં એમને ફાવે નહિ, એવી કોઈ ઋતુ ન હોય કે જેમાં એમને પ્રતિકૂળતા જણાતી હોય, એવાં કોઈ ધાર્મિક ઉપકરણો ન હોય કે જેના પ્રત્યે તેમને અણગમો હોય, આહારની બાબતમાં ભાવવા-ન ભાવવાની વાત તેમને માટે રહી ન હોય. હવે એવી કોઈ બાબત ન હોય કે જેમાં એમને રંજ હોય કે ફરિયાદ હોય. પ્રત્યેક પરિસ્થિતિનો એમણે સહજ રીતે સ્વીકાર કરી લીધો હોય. હવે એમનો સતત ઉપયોગ આત્માના જ્ઞાયક સ્વરૂપમાં હોય. આવા મહાત્માઓને પૌદ્ગલિક બંધ ન હોય એટલે કે કોઈ તીવ્ર કર્મબંધ ન હોય.
મોક્ષના ઉચ્ચત્તમ લક્ષ્ય તરફ ગતિ કરનાર મહાત્માઓની પરિગ્રહ વિશે આવી ઉચ્ચ દશા હોય છે. [૧૯૯] વિન્માત્રીપ છે નિર્વાસસ્થાનíનિ:
निष्परिग्रहतास्थैर्य धर्मोपकरणैरपि ।।२५।।७।। [શબ્દાર્થ વિનાત્રસીપી:=જ્ઞાનમાત્રનો દીપક; ઝે=જાય છે, પામે છે; નિર્વાત=પવનરહિત; સ્થાનનિર્મ=સ્થાનના જેવા; નિષ્પરિગ્રહવાસ્થ–પરિગ્રહના ત્યાગરૂપ સ્થિરતાને; પર=ધર્મનાં ઉપકરણો વડે; f=પણ.]
અનુવાદઃ જ્ઞાનમાત્રનો દીપક, પવનરહિત સ્થાન સમાન ધર્મનાં ઉપકરણો વડે પણ નિષ્પરિગ્રહરૂપ સ્થિરતાને પામે છે. (૭)
વિશેષાર્થ: પવનમાં દીવાની જ્યોત હાલે છે, ઊંચીનીચી થાય છે અને ક્યારેક જોરદાર પવન હોય તો દીવો ઓલવાઈ જાય છે. પરંતુ જે સ્થાનમાં પવન આવતો નથી ત્યાં દીવો સ્થિર જ્યોત સાથે પ્રકાશ્યા કરે છે
સાધુ મહારાજની જ્ઞાનની આરાધના સ્થિર દીવા જેવી હોવી જોઈએ. વળી એમનું જ્ઞાન દીવાની જેમ સ્થિર હોવું જોઈએ. જેમ પવન વિનાનું સ્થાન દીવાને માટે ઉપકારક છે, તેમ ધર્મ માટેનાં ઉપકરણો પણ સાધુ મહારાજની આત્મજ્યોતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org