________________
૨૫. પરિગ્રહાષ્ટક
૩૩૭
આપવામાં આવ્યું છે કે સાપ કાંચળી ઉતારી નાખે એથી એ કંઈ નિર્વિષ થતો નથી. તેવી રીતે મુનિ મહારાજ માત્ર બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરે તેથી તેઓ ઊંચી આત્મદશા પ્રાપ્ત કરી શકતા નથી. એ માટે અંતરંગ પુરુષાર્થ એટલો જ આવશ્યક છે. [૧૯૭] ત્યો પરિપ્રદે સાથો: પ્રયાતિ નં : |
___ पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा ।।२५।।५।। [શબ્દાર્થ ત્યતે–ત્યાગ કરવાથી; પરિપ્રદે=પરિગ્રહસાયો:=સાધુનું; પ્રયાતિ જાય છે; સનં ના=સઘળું પાપ; પતિત્યારે પાળીનો ત્યાગ અર્થાત્ નાશ થતાં; ક્ષMવેવ ક્ષણમાં જ; સરસ:=સરોવરનું; સતિતં પાણી; યથા=જેમ.]
અનુવાદઃ જેમ પાળીનો નાશ થતાં (બંધ તૂટી જતાં) સરોવરનું પાણી ક્ષણવારમાં જ ચાલ્યું જાય છે તેમ પરિગ્રહનો ત્યાગ થતાં સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય છે. (૫)
વિશેષાર્થ મુનિ મહારાજને પરિગ્રહના ત્યાગની અહીં શિખામણ આપવામાં આવી છે. આપણને આશ્ચર્ય થાય છે કે જે મુનિ ભગવંતોએ દીક્ષા ગ્રહણ કરતી વખતે પંચ મહાવ્રત ધારણ કર્યા હોય તો તેમાં પાંચમા “અપરિગ્રહ વ્રતની પ્રતિજ્ઞા તો આવી જ જાય છે. સાધુઓ અપરિગ્રહી હોય જ છે, તો પછી તેમને પરિગ્રહનો ત્યાગ કરવાની ભલામણ શું વ્યાજબી છે ?
હા, તદ્દન વ્યાજબી છે. સાધુઓએ બાહ્ય ત્યાગ કર્યો હોય છે, પણ મમતા, લોભ, માયા, રસગારવ, શાતાગારવ, ઋદ્ધિગારવ એ ત્રણ ગારવ, યશકીર્તિની ખેવના, પોતાના ભક્તો માટેનો અનુરાગ ઇત્યાદિ જો હજુ અંતરમાંથી ખસતાં ન હોય તો આત્યંતર પરિગ્રહનો ત્યાગ કર્યો ન કહેવાય. અને જ્યાં સુધી બાહ્ય કે આત્યંતર પરિગ્રહ હોય ત્યાં સુધી આસવનાં દ્વાર ખુલ્લાં હોય છે. આવા પરિગ્રહનો ત્યાગ કરવાથી અશુભ કર્મો બંધાતાં નથી અને બંધાયા હોય તો તેનો ક્ષય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org