________________
૩૩૬
જ્ઞાનસાર
[શબ્દાર્થ વિ=ચિત્તમાં; અન્તસ્થહિને અત્યંતર ગાંઠ અર્થાત્ પરિગ્રહથી ગહન એટલે વ્યાકુળ; વિિર્નવસ્થતા=બાહ્ય નિર્ઝન્થતા, બાહ્ય અપરિગ્રહ; વૃથા=નિરર્થક; ત્યારે ત્યાગ કરવાથી, છોડી દેવાથી; વુમાત્ર=માત્ર કાંચળી; મુન:=સર્પ; ન=નથી; દિ=પરંતુ, કારણ કે, ખરેખર; નિર્વિષ:=વિષરહિત, ઝેર વગરનો.]
અનુવાદ: આત્યંતર પરિગ્રહથી ચિત્ત ગહન અર્થાત્ વ્યાકુળ હોય તો બાહ્ય નિર્ગસ્થપણું નિરર્થક છે, કારણ કે કાંચળી માત્રનો ત્યાગ કરવાથી સર્પ નિર્વિષ થતો નથી. (૪).
વિશેષાર્થ : માણસ ઘર, કુટુંબ, સગાંસ્નેહીઓ, માલ મિલકત બધું છોડીને દીક્ષા લે છે. દીક્ષિત મુનિનું બાહ્ય રૂપાંતર થાય છે. તેમનું નામ બદલાય છે. હવે એમને પોતાનું, પોતાની માલિકીનું કોઈ ઘર હોતું નથી. જ્યાં રહે ત્યાં તે તેમનું ઘર. તેઓ ગૃહસ્થનાં વસ્ત્રોને બદલે સાધુનાં વસ્ત્રો ધારણ કરે છે. તેઓ કોઈના રસોડે જમતા નથી, પણ ગોચરી વહોરી લાવે છે. તેઓ હજામત કરાવતા નથી પણ કેશલોચ કરે છે. તેમને રાત્રે સૂવા માટે ગાદલું હોતું નથી, પણ સાદો સંથારો હોય છે. એમનું બેંકમાં કોઈ ખાતું નથી કે આવકવેરાની કોઈ ચિંતા નથી. તેમને દીકરા, દીકરી પરણાવવાનાં નથી કે કોઈનાં લગ્નમાં જવાનું નથી. કોઈના મરણ વખતે સ્મશાનમાં આભડવા કે કોઈની ખબર પૂછવા હૉસ્પિટલમાં જવાનું નથી. આમ બધી રીતે મુનિ મહારાજ અપરિગ્રહી થઈ ગયા છે. પરંતુ આ તો બાહ્ય ત્યાગ છે. અલબત્ત એ પણ જરૂરી છે. વસ્તુતઃ મુનિ મહારાજની અંતરંગ પરિણતિ પણ અપરિગ્રહની હોવી જોઈએ. અંતરમાં સ્ત્રી, ધન, મિલકત વગેરેની વાસનાઓ પડેલી હોય, નામ, પ્રતિષ્ઠા, યશકીર્તિ વગેરેની આસક્તિ રહેલી હોય, સ્વાદિષ્ટ ગોચરી અને મોંઘાં આકર્ષક ઉપકરણો ગમતાં હોય, માયાચાર ચાલતો હોય, ઉપદેશ એક પ્રકારનો અને આચરણ બીજા પ્રકારનું હોય, આત્મસ્વરૂપ પ્રગટાવવા માટે કોઈ પુરુષાર્થ ન હોય તો સમજવું કે માત્ર બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિરર્થક છે. અહીં દૃષ્ટાન્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org