________________
૨૫. પરિગ્રહાષ્ટક
૩૩૫
વગેરે આત્યંતર પરિગ્રહ છે. આખો સંસાર બાહ્ય પરિગ્રહથી ભરપૂર છે અને એ જ આપણી નજર સમક્ષ આવે છે. સંસારનાં નેવું ટકાથી વધુ લોકો આ પરિગ્રહના ભોગવટામાં રચ્યાપચ્યા રહે છે. મકાનો જૂનાં થાય તો નવાં મકાનો થયાં જ છે, દુકાનો જૂની કે કાલગ્રસ્ત થાય કે નવી આધુનિક દુકાનો, સ્ટોર વગેરે ચાલુ થયાં જ છે. નવી નવી ચીજસામગ્રી રોજેરોજ બજારમાં ઠલવાતી જાય છે. સમગ્ર વિશ્વ એના ભોગવટામાં રાચે છે. મનોરંજનનાં પણ એટલાં જ સાધનો વિકાસ પામ્યાં છે. આવી સ્થિતિમાં પોતાનાં ચરણોને ત્યાગવૈરાગ્યમાં સ્થિર રાખવાનું દુષ્કર છે.
જે મહાત્માઓ ઘર,સ્વજન પરિવાર, મિલકત, વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરીને પંચ મહાવ્રતધારી સાધુ બને છે તેઓને ધન્ય છે. કંચન અને કામિનીના ત્યાગી એવા સાધુ મહાત્માઓની અને સાધ્વીઓની જેટલી સંખ્યા છે અને તેઓના વિહાર, મુકામ, આહારપાણીની વ્યવસ્થા જૈન ધર્મમાં છે તે અનન્ય છે.
આ તો બાહ્ય પરિત્યાગની વાત થઈ. યોગીઓ બાહ્ય પરિગ્રહને તણખલાની જેમ, કચરાની જેમ છોડી દે છે. પણ એ છોડ્યા પછી છોડવાનો અહંકાર જો આવી ગયો અથવા તે માટે મનમાં તૃષ્ણા રહ્યા કરી તો તે બધું વ્યર્થ છે. એટલા માટે જ આત્યંતર પરિગ્રહના ત્યાગ ઉપર એથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
બાહ્ય ત્યાગમાં મુનિએ અટકી જવું ન જોઈએ. બાહ્ય ત્યાગ તો બધાને દેખાય છે. હવે જે ત્યાગ કરવાનો છે એ સૂક્ષ્મ છે અને એના સાક્ષી પોતે જ છે. ચિત્તની અંદર મિથ્યાત્વ, અહંકાર, લોભ, ઇર્ષ્યા, અસૂયા, મત્સર, પ્રકોપ, મમત્વ, આસક્તિ-આત્મશ્લાઘા ઇત્યાદિના જે ભાવો પડેલા છે તે પણ છોડવાના છે. દેહ અને આત્મા ભિન્ન છે, દેહ મારો નથી, એવું ભાન અંદરથી રહ્યા કરે અને ચિત્ત અનિત્યાદિ ભાવનામાં, આત્મરમણતામાં રહ્યા કરે તો એવી ઊંચી કોટિના ત્યાગી મહાત્માઓના ચરણકમળની પર્યાપાસના ત્રણે જગત કરે છે. [૧૯] વિડનાસ્થહિને વહિર્નિઈથતા વૃથા !
त्यागात्कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः ।।२५।।४।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org