________________
૩૩૪
જ્ઞાનસાર
રહે છે. કેટલાક એના વહીવટમાં પોતાની સત્તા રાખે છે. કેટલાકને ગ્રંથો, પોથીઓ વગેરેની આસક્તિ રહે છે. કેટલાક ધનને સ્પર્શ કરતા નથી, પણ ધન ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેના હિસાબો મનમાં રાખે છે.
ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે આવા વેશધારી સાધુ-સંન્યાસીઓની એમના પરિગ્રહ માટે જો ટીકા કરવામાં આવે તો તેઓ તેની પ્રતિક્રિયારૂપે દુષ્ટવચનરૂપી ધૂળ ઉડાડે છે. તેઓ ક્રોધે ભરાઈને પ્રલાપ કરે છે અને પોતાના જેવું કરનારા બીજા સાધુ વગેરેને ઉઘાડા પાડે છે.
સાધુ-સંન્યાસી થયા એટલે ત્યાગી થયા અને પરિગ્રહ છોડ્યો, પણ એટલું બસ નથી, પરિગ્રહ માટેની મમતા-આસક્તિ પણ છૂટવી જોઈએ. ‘ઉપમિતિ ભવ પ્રપંચાકથા'માં કહ્યું છે કે મુનિ પોતાના શ્રુતજ્ઞાનની કદરરૂપે લાભથી શ્રાવક વર્ગ તરફથી પૂજા સત્કાર પામે અને મુનિ તે શ્રાવકોએ કરેલા ચંદરવાની રમણીયતા નિહાળી મમત્વ, આસક્તિ અને અહંકારથી જો દૂષિત થાય તો તે તીવ્ર જ્ઞાનાવરણીય વગેરે કર્મ બાંધે છે.
મુનિપણામાં સ્કૂલ અને સૂક્ષ્મ પરિગ્રહની કસોટીના ઘણા પ્રસંગો આવે છે. જેઓ સવેળા જાગે છે અને પાછા ફરે છે તેઓ દુર્ગતિમાંથી બચી જાય છે. [૧૯૫] યજ્યવર્ઘા તૃણવત્ વીમાન્તર ઇ પરિપ્રમ્
उदास्ते तत्पदाम्भोजं पर्युपास्ते जगत्त्रयी ।।२५।।३।। [શબ્દાર્થ =જે; ત્યાં ત્યજીને; 7ળવઋતણખલાની જેમ; વી=બાહ્ય; માન્તરે=આંતર, અંતરંગ; =અને; પરપ્રદ=પરિગ્રહને; ૩વાર્ત=ઉદાસીન રહે છે; તત્પવાસ્મોગં–તેના ચરણરૂપી કમળને; પાસ્ત=સેવે છે; નત્રયીeત્રણ જગત.]
અનુવાદઃ જે બાહ્ય-આત્યંતર પરિગ્રહને તણખલાની જેમ છોડીને ઉદાસીન રહે છે તેનાં ચરણકમળને ત્રણ જગત સેવે છે. (૩)
વિશેષાર્થઃ પરિગ્રહ બે પ્રકારના છે-બાહ્ય અને અત્યંતર. ઘર, ધનધાન્ય, માલ-મિલકત, વસ્ત્રાલંકાર, વાહનો વગેરે બાહ્ય પરિગ્રહ છે. મિથ્યાત્વ, કષાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org