________________
૨૫. પરિગ્રહાષ્ટક
૩૩૩
ભાવપરિગ્રહનું કારણ છે. દ્રવ્યપરિગ્રહ એટલે પોતાના ભોગોપભોગ માટે માલમિલકત, સ્ત્રી–પરિવાર. જમીન, વાહન, દાસદાસી વગેરે રાખવાં તે. ભાવપરિગ્રહ એટલે રાગાદિ ભાવો, કષાયો, દેહબુદ્ધિ ઇત્યાદિ. [૧૯૪] પરિપ્રદકહાવેશાર્દૂ સુપિતર:વિરામ
श्रूयन्ते विकृताः किं न प्रलापा लिङ्गिनामपि ।।२५।।२।। [શબ્દાર્થઃ પરિગ્રહ ફાવેશ=પરિગ્રહરૂપી ગ્રહના પ્રવેશથી; કુષિત–ઉત્સુત્ર ભાષણ; રન:શિરા=રજ (ધૂળ) ઉડાડનારા; શૂન્ત=સંભળાય; વિવૃતા:=વિકૃતિવાળા; કિશું; ન નથી; પ્રતાપ:=પ્રલાપ, બકવાદ;દ્રિામપ=વેષધારીઓના પણ.]
અનુવાદઃ પરિગ્રહરૂપી ગ્રહનો પ્રવેશ થવાથી ઉત્સુત્ર વચન (દુર્ભાષિત) રૂપી ધૂળ ઉડાડનારા વેશધારીઓના પણ વિકૃત પ્રલાપ શું સંભળાતા નથી? (૨)
વિશેષાર્થ અહીં કહેવાતા સાધુ-સંન્યાસીઓના પરિગ્રહની વાત કરી છે. ઘરબાર, માલ-મિલકત, કુટુંબ પરિવાર વગેરે છોડીને જેઓ ત્યાગી સાધુ-સંન્યાસી થયા છે તેમના અંતરમાં જો પરિગ્રહની વૃત્તિ પડેલી હશે તો તે રૂપાન્તરિત થઈને પણ પાછી આવે છે. કોઈપણ સ્થૂલ પદાર્થ માટે, છેવટે પોતાની મહત્તા, યશકીર્તિ ઇત્યાદિ સૂક્ષ્મ વસ્તુઓ માટે આસક્તિ રહી તો તે પરિગ્રહમાં પરિણમે છે. માણસ સંન્યાસી થઈને ભગવાં કપડાં ધારણ કરે, પણ પછી તે સારામાં સારા, મોંઘામાં મોંઘા કાપડમાંથી બનાવેલાં, ચમકદાર હોવાં જોઈએ. ગળાની રૂદ્રાક્ષની માળા, હાથની માળા, ચમાની ફ્રેમ, હાથમાં રાખવાની લાકડી, છત્રી, ચાખડી–આ બધું જ સારામાં સારું જ જોઈએ એવો આગ્રહ પરિગ્રહની આસક્તિ દર્શાવે છે. તેઓ માત્ર વેશધારી સાધુ હોય છે.
જૈન અને અન્ય ધર્મના સાધુઓને, જો અંતરમાં પરિગ્રહની મમતા-આસક્તિ રહી ગઈ હોય તો તેમને ધર્મક્રિયા માટેનાં ઉપકરણો સારામાં સારાં જોઈશે. આથી આગળ જતાં કેટલાકને ઉપાશ્રય, ગ્રંથાલય, આશ્રમ, ધર્મશાળા, પાઠશાળા જેવાં સ્થાનો ઉપર પોતાનાં કે પોતે નક્કી કરેલાં નામ અને અધિકાર માટે આગ્રહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org