SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૩ ૨ જ્ઞાનસાર વગેરે પંદર નક્ષત્રો છે. એમ બધાં મળી ૨૭ નક્ષત્રો છે. આકાશમાં તારા અને નક્ષત્રો ઉપરાંત સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એમ નવ ગ્રહ છે. આ નવે ગ્રહની પોતપોતાની ગતિ છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સંસારના જીવો ઉપર એની સારી અને માઠી અસર છે. ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પરિભ્રમણ કરે છે. ક્યારેક તે સીધા ચાલે છે. ક્યારેક એની ગતિ વક્ર-વાંકી હોય છે. આકાશના ગ્રહોની લાક્ષણિકતા એ છે કે તેઓ કોઈપણ એક સમયે જગતના કેટલાક જીવો ઉપર શુભ દૃષ્ટિ ધરાવે છે અને તેઓને ભૌતિક રીતે સુખી કરે છે અને બીજા કેટલાક જીવો ઉપર વક્ર દૃષ્ટિ કરે છે અને તેઓને દુઃખી કરી નાખે છે. અન્ય વખતે તે દૃષ્ટિ બદલાતાં સુખીને દુઃખી કરે છે અને દુઃખીને સુખી કરે છે ગ્રહોમાં આ રીતે ફેરફાર થયા કરે છે. બધા જ ગ્રહો કાયમને માટે શુભ કે કાયમને માટે અશુભ દૃષ્ટિ નથી ધરાવતા. વળી કોઇપણ એકનો એક જ ગ્રહ નિશ્ચિત કાળે અમુક જીવો માટે વક્ર હોય છે અને તે જ સમયે અમુક જીવો માટે શુભ હોય છે. પરિગ્રહ શબ્દ “પરિ' અને “ઢ નો બનેલો છે. પરિ એટલે ચારે બાજુથી.ગ્રહ એટલે ગ્રહણ કરવું, પકડવું. આ ગ્રહે જીવને ચારે બાજુથી પકડેલો છે. માટે એને “પરિગ્રહ” કહેવામાં આવ્યો છે. “પ્રઢ' શબ્દ ઉપર શ્લેષ છે. આ પરિગ્રહરૂપી ગ્રહ કેવો છે ? તે અનાદિ કાળથી જે રાશિમાં છે ત્યાંથી પાછો ફર્યો નથી તથા અનંતકાળ સુધી એમાં જ રહેવાનો છે. એનો અર્થ એ થયો કે જીવને ધનવૈભવ, માલમિલકત ઇત્યાદિના સમૂહરૂપી જે રાશિ સાથે જોડાણ છે તે ક્યારેય મટવાનું નથી, કારણ કે બધા જ જીવોને પરિગ્રહ નામની સંજ્ઞા વળગેલી છે. વળી આકાશના ગ્રહો ક્યારેક પોતાની વક્રતાનો ત્યાગ કરીને સીધી ગતિએ જાય છે, પરંતુ પરિગ્રહરૂપી ગ્રહ ક્યારેય પોતાની વક્ર ગતિ છોડવાનો નથી. એટલે કે એની વક્ર દૃષ્ટિને કારણે ત્રણ જગતના જીવો ક્યારેય સુખી થવાના નથી. પરિગ્રહ હંમેશાં દુઃખનું નિમિત્ત છે અને મોક્ષમાર્ગમાં તે અંતરાયરૂપ છે. પરિગ્રહના બે પ્રકાર છેઃ દ્રવ્યપરિગ્રહ અને ભાવપરિગ્રહ. એમાં દ્રવ્યપરિગ્રહ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy