________________
૨૫. પરિગ્રહાષ્ટક
૩ ૩ ૧
૨૫. પરિગ્રહાષ્ટક [૧૯૩] પરવર્તત પાર્વતાં ગાતુ નોસ્કૃતિ |
परिग्रहग्रहः कोऽयं विडम्बितजगत्त्रयः ।।२५।।१।। [શબ્દાર્થ =નથી; પરીવર્તત=પાછો ફરતો; રાશેઃ=રાશિથી; વતાં વક્રતાને; નાતુ–ક્યારેય પણ ન=નથી; સંસ્કૃતિ તજતો, છોડી દેતો; પરિગ્રહ :=પરિગ્રહરૂપી ગ્રહ; વ:=કોણ છે; યં આ; વિન્વિત વિડંબના પમાડી છે; નત્રય =ત્રણ જગતના લોકોને.]
અનુવાદઃ જે રાશિથી પાછો ફરતો નથી, વક્રતાને ક્યારેય છોડતો નથી, જેણે ત્રણ જગતને વિડંબના પમાડી છે તે પરિગ્રહરૂપી ગ્રહ કયો ગ્રહ છે ? (૧) વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પરિગ્રહની સક્ઝાયમાં કહ્યું છેઃ
નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદીય ન હોય; પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દીયે દુઃખ સોય, સલૂણા.
પરિગ્રહ મમતા પરિહરો. આ શ્લોકમાં “ગ્રહ” અને “રાશિ' એ બે શબ્દો ઉપર શ્લેષ છે, “ગ્રહનો એક અર્થ થાય છે ગ્રહણ કરવું, પકડવું વગેરે. “ગ્રહ'નો બીજો અર્થ થાય છે આકાશના ગ્રહો, જેમ કે મંગળ, શુક્ર, શનિ વગેરે. ભારતીય પરંપરા પ્રમાણે સૂર્ય અને ચંદ્ર પણ ગ્રહ છે. “રાશિ'નો એક અર્થ થાય છે સમૂહ, ઢગલો ઇત્યાદિ. “રાશિનો બીજો અર્થ થાય છે આકાશની રાશિ, જેમ કે વૃષભ, મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા વગેરે. સમગ્ર આકાશને બાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, તે પ્રત્યેકને રાશિ કહે છે. આકાશમાં નક્ષત્રો ૨૭ છે, બાર મહિનાનાં બાર નક્ષત્ર છે, જેમ કે કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય વગેરે. તદુપરાંત વૃશ્ચિક, રોહિણી, આદ્ર, હસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org