________________
૨૯. પૂજાષ્ટક
ઉપયોગ થાય છે. મુનિએ આ ધૂપપૂજા એવી રીતે ક૨વાની હોય છે. તે જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કૃષ્ણાગરુ નાખીને ધૂપપૂજા કરે છે. અહીં આત્માની ઊંચી દશાની વાત કરવામાં આવી છે. અહીં શુભ સંકલ્પ-વિકલ્પો, શુભ અધ્યવસાયોનો પણ ત્યાગ કરવાનો છે, કારણ કે તે પુણ્યબંધના કારણભૂત છે. મુનિએ નિર્વિકલ્પ દશામાં જવા માટે પુણ્યબંધનાં નિમત્તોનો પણ ત્યાગ કરવાનો છે. જ્ઞાનયોગીને અશુભ સંકલ્પો એટલે કે પાપબંધનાં કારણો હોતાં જ નથી. પણ હવે નિર્વિકલ્પ સમાધિમાં જવા માટે શુભ અધ્યવસાયોને પણ છોડવાના છે. સાધકે હવે રાગદ્વેષથી રહિત બની આત્મસ્વરૂપમાં રહેવાનું છે.
આમ ભાવનાત્મક અષ્ટમંગલ અને ધૂપ-પૂજા સાધક મુનિવરને ઊંચા ગુણસ્થાનકે આરોહણ કરાવે છે.
[૨૨૯] પ્રાધર્મનવળોત્તર ધર્મસંન્યાસવનિના ।
कुर्वन् पूरय सामर्थ्यराजन्नीराजनाविधिम् ।। २९ । । ५ । ।
૩૮૯
[શબ્દાર્થ ઃ પ્રાધર્મ=પૂર્વના ધર્મ (ક્ષાયોપશમિક વગેરે ધર્મ)રૂપ; નવળોત્તાતં=લવણ ઉતારવું; ત્યાગ કરવો; ધર્મસંન્યાસ=ધર્મસંન્યાસરૂપ; વનિના=અગ્નિ વડે; ર્વન=કરીને, કરતો; પૂર=પૂર્ણ ક૨; સામર્થ્ય=સામર્થ્યયોગ; રાન—શોભાયમાન; નીરાનન=આરતી; વિધિ=વિધિ.]
અનુવાદઃ ધર્મસંન્યાસરૂપી અગ્નિ વડે પૂર્વના ધર્મરૂપી લવણ ઉતારીને, સામર્થ્યયોગરૂપી શોભતી આરતીની વિધિ પૂર્ણ કર. (૫)
વિશેષાર્થ : જિન મંદિરમાં પૂજાવિધિમાં થતી અન્ય બે ધર્મક્રિયાઓ અહીં ઉલ્લેખ છે. એ છે ઃ (૧) લવણ ઉતારવું અને (૨) આરતી ઉતારવી.
Jain Education International
લવણ ઉતારવું એટલે લૂણ ઉતારવું. જૂના વખતમાં અશુભના નિવારણ માટે દેરાસરમાં લૂણ ઉતારવાની પ્રથા હતી. હજુ પણ ક્યાંક હશે. (લગ્નમાં વરરાજા ઘોડા પર બેસે ત્યારે પાછળ બેસી એની નાની બહેન લૂણ ઉતારે એવો રિવાજ
For Personal & Private Use Only
www.jainelibrary.org