SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ જ્ઞાનસાર અનુવાદઃ તેની (આત્મારૂપી દેવની) આગળ મદસ્થાનના (આઠ) ભેદોનો ત્યાગ કરવા વડે આઠ મંગળ આલેખ અને જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કૃષ્ણાગરુનો ધૂપ કર. (૪) વિશેષાર્થ : જિનમંદિરમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાની પૂજાવિધિ પૂર્ણ થયા પછી પ્રાચીન સમયમાં પાટલા ઉપર ચોખા વડે કે અન્ય રીતે આઠ મંગલ આકૃતિઓ દોરવામાં આવતી. એ આઠ મંગલનાં નામ આ પ્રમાણે છે: સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક (શરાવસંપુટ), કળશ, સિંહાસન (ભદ્રાસન), મત્સ્યયુગલ અને દર્પણ. જેઓને રોજનો સારો મહાવરો હોય તેઓને પાટલા ઉપર ચોખાથી અષ્ટમંગલ આલેખવામાં વાર નથી લાગતી. પરંતુ કેટલાયને આ આઠ આકૃતિઓ આલેખવામાં વાર લાગતી. એટલે પછીના સમયમાં અષ્ટમંગલ દોરેલા પાટલા આવ્યા. (એવા પાટલા પાટલાપૂજનમાં હજુ પણ વપરાય છે.) પછીના કાળમાં પાટલાને બદલે ધાતુની નાની પાટલી આવી. પછી આવી પાટલીઓ ખોવાઈ કે ઊપડી જવાની બીકે ગભારાની બહારને બદલે અંદર મૂકાવા લાગી છે. એની પૂજા છેલ્લે કરવાની હોય છે–આલેખનના પ્રતીક તરીકે. જો કે હવે તો ગમે ત્યારે એની પૂજા લોકો કરે છે. દ્રવ્યપૂજામાં આ આઠ મંગલનું આલેખન કરવાનું હોય છે, પરંતુ અહીં મુનિને કહેવામાં આવ્યું છે કે આઠ મદનો ત્યાગ એ જ આઠ મંગલરૂપ છે. મદ એટલે ગર્વ અથવા અભિમાન. એના જે આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે : જાતિમદ, કુળમદ, શરીરમદ, બળદ, લાભમદ, બુદ્ધિમદ, તપમદ અને જ્ઞાનમદ. મુનિની ભાવપૂજામાં અષ્ટમંગલની પૂજા એટલે આ આઠ ભાવમંગલના પ્રતીક તરીકે આઠ પ્રકારના મદનો ત્યાગ કરવાનો હોય છે. ચારિત્રના પાલનમાં ઘણા આગળ વધ્યા હોવા છતાં મદનો-માનકષાયનો ત્યાગ ઘણો દુષ્કર છે. અષ્ટમંગલના આલેખન સાથે ધૂપપૂજા થાય છે. ધૂપ તરીકે સુગંધી કૃષ્ણાગુરુનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy