SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. પૂજાષ્ટક ૩૮૭. પછી પુષ્પપૂજા કરે છે. ત્યાર પછી પ્રતિમાની અંગરચના-આંગી કરે છે, અલંકારથી તેને સુશોભિત કરે છે. મુનિ મહારાજ પાસે ક્ષમારૂપી પુષ્પો છે. એ પુષ્પોની માળા ગુંથી છે. તે ભગવાન આત્માને પહેરાવે છે. સાધુ ક્ષમાના અવતાર હોવા જોઈએ. એટલે તો વંદન વખતે આપણે બોલીએ છીએ ઇચ્છામિ ખમાસમણો (ક્ષમાશ્રમણ). ક્ષમાનાં પુષ્પોની માળા ગુંથવાની છે એટલે ઘણાં બધાં ક્ષમાપુષ્પો હોવાં જરૂરી છે. સાધુ જેટલી વાર જરૂર પડે એટલી વાર ક્ષમા આપનાર અને ક્ષમા માગનાર હોય છે. ક્ષમા સાધુનો સૌથી પહેલો ગુણ છે. એટલે જ દસ પ્રકારના યતિધર્મમાં સૌથી પહેલો ધર્મ તે ક્ષમા છે. શ્રાવક જિનપ્રતિમાની પુષ્પપૂજા કર્યા પછી ભક્તિભાવનાં વસ્ત્રરૂપી અંગરચના કરે છે. સાધુ માટે પોતાના આત્મારૂપી પરમાત્માની અંગરચના હોય છે. અંગરચનામાં તેઓ નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ રૂપી બે વસ્ત્ર પહેરાવે છે. નીચેનું વસ્ત્ર તે વ્યવહાર ધર્મ છે અને ઉપરનું વસ્ત્ર તે નિશ્ચયધર્મ છે. વ્યવહારધર્મ તે આવશ્યકાદિ ક્રિયાઓ છે અને આત્માના પરિણામ રૂપી નિશ્ચયધર્મથી આત્મસ્વરૂપનું ભાવન કરવાનું છે. અંગરચના પછી જિનપ્રતિમાને અલંકારોથી સુશોભિત, મનોહર બનાવવામાં આવે છે. સાધુ પાસે ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી અલંકારો છે. એ વડે તે આત્માની અંગરચના કરે છે. [૨૮] મવસ્થાનમાયાર્નિવા વાણમંત્રિમ્ | ज्ञानाग्नौ शुभसंकल्पकाकतुण्डं च धूपय ।।२९।।४।। [શબ્દાર્થ અવસ્થામાત્યાન =મદસ્થાનોના ભેદોનો ત્યાગ કરવા વડે; તિઉ=આલેખ; =આગળ (આત્માની આગળ); =અને; અષ્ટમંત્રન=આઠ મંગળને; જ્ઞાનીનૌ=જ્ઞાનરૂપી અગ્નિમાં; ગુમસંવેq=શુભ સંકલ્પરૂપી; તુë=કૃષ્ણાગરુ; વ=અને; ધૂપ =ધૂપ કર.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy