________________
૩૮૬
જ્ઞાનસાર
(૧) બ્રહ્મચર્ય મહાવ્રતધારી સાધુએ સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું, (૨) સ્ત્રીનાં અંગાંગો ન નિહાળવાં, (૩) સ્ત્રીઓની કથાવાર્તા ન કરવી, (૪) પૂર્વે ભોગવેલા ભોગો યાદ ન કરવા, (પ) સ્ત્રી સાથે એક આસને બેસવું નહિ તથા
સ્ત્રી બેઠી હોય કે સૂતી હોય એવા આસન, પલંગ પર બે ઘડી બેસવું નહિ, (૬) વિકાર થાય એવું સ્નિગ્ધ ગરિષ્ઠ ભોજન કરવું નહિ, (૭) શૃંગારસયુક્ત ગીત, શૃંગારવર્ધક મંજન, વિલેપન, વેષભૂષા ઇત્યાદિ કરવાં નહિ તથા નૃત્ય, નાટક નિહાળવાં નહિ, (૮) ભૂખ કરતાં ઓછું ખાવું એટલે કે ઉણોદરી વ્રત કરવું, (૯) બાજુમાં ભીંત આડે સ્ત્રીપુરુષ રહેતાં હોય તો તેમના શબ્દો સાંભળવા નહિ.
આ નવવિધ વાડ એ શુદ્ધાત્માનાં નવ અંગ છે. એની પૂજા કરવાની હોય છે. જે સાધક મન, વચન અને કાયાથી, સંપૂર્ણ નિષ્ઠા સાથે બ્રહ્મચર્યનું પાલન કરે છે એને અવશ્ય આત્મદર્શન થાય છે.
આમ, મુનિએ શુદ્ધાત્માની ભાવપૂજા કરવાની હોય છે. શ્રાવકે જિનપ્રતિમાની પૂજા અમુક જ સ્થળે અને અમુક સમયે જ કરવાની હોય છે. મુનિની ભાવપૂજા નિરંતર હોય છે. એ માટે સ્થળ અને સમયનું કોઈ બંધન નથી. [૨૭] ક્ષમાપુષ્પન્ન થયુમક્ષૌમાર્ય તથા .
ધ્યાનમાં ર ત વિનિવેશય પારારૂા. [શબ્દાર્થ : ક્ષમાપુષ્પસન્નકક્ષમારૂપી ફૂલની માળાને; ધર્મયુમક્ષૌમયે ધર્મરૂપી બે (નિશ્ચય અને વ્યવહાર) વસ્ત્રોને; તથા=અને; ધ્યાન મરઘંસાર=ધ્યાનરૂપી શ્રેષ્ઠ આભરણ (અલંકાર)ને; અને; તે તેના (આત્માના) અંગે; વિનિવેશ =પહેરાવ.]
અનુવાદક તેના (આત્મારૂપી દેવના) અંગે ક્ષમારૂપી પુષ્પની માળા, બે પ્રકારના (નિશ્ચય અને વ્યવહાર) ધર્મરૂપી બે વસ્ત્ર તથા ધ્યાનરૂપી ઉત્તમ આભરણ પહેરાવ. (૩) વિશેષાર્થ શ્રાવક જિનમંદિરમાં જિનપ્રતિમાની કેસર-ચંદનથી પૂજા કર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org