________________
૧૨
અમ૨, અવિનાશી, પૂર્ણાનંદમય આત્મતત્ત્વ તરફ વળી હોય છે. [૬] પૂર્ણ: પૂર્ણતામેતિ પૂર્યમાળસ્તુ ઢીયતે । પૂર્ણનન્વસ્વમાવોડયું નાવદ્યુતવાય: ।। ? ।। ૬ ।।
[શબ્દાર્થઃ અપૂર્ણ:=ખાલી, રહિત, પરિગ્રહ, વિનાનો; પૂર્ણતાં=પૂર્ણતા, સભરતા, જ્ઞાનાદિની પરિપૂર્ણતાને; તિ=પામે છે; પૂર્યમાળ:=ધનધાન્યાદિ પરિગ્રહથી પૂરાતો, પૂર્ણ થતો; દીયતે=હાનિ પામે છે, અપૂર્ણ થાય છે; પૂન૬સ્વમાવ:=પૂર્ણાનંદમય આત્માનો સ્વભાવ; અયં=આ; નાવદ્યુતવાય:= જગતને આશ્ચર્ય કરનાર.]
જ્ઞાનસાર
અનુવાદ-જે (ધનધાન્યાદિથી) અપૂર્ણ છે તે (જ્ઞાનાદિ ગુણોની) પૂર્ણતા પામે છે અને (ધનધાન્યાદિથી) પૂર્ણ થતો (જ્ઞાનાદિ ગુણોની) હાનિ પામે છે. પૂર્ણાનંદમય (આત્મા)નો આ સ્વભાવ જગતને આશ્ચર્ય કરનારો છે. (૬)
વિશેષાર્થ : પૂર્ણતાની વિભાવના બધા જીવોની એકસ૨ખી હોતી નથી. બધાનું ધ્યેય પણ સમાન હોતું નથી. કોઈ બાહ્ય પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિથી પોતાની જાતને પરિપૂર્ણ બનાવવા અને મનાવવા ઇચ્છે છે, તો કોઈક પોતાના આત્માના ક્ષમા, આર્જવ, માર્દવ ઈત્યાદિ ગુણોની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે.
એટલું તો નિશ્ચિત છે કે પૌદ્ગલિક પદાર્થોની પૂર્ણતા અને આત્માના ગુણોની પૂર્ણતા એ બંને સામસામા છેડે આવેલાં છે. પૌદ્ગલિક પદાર્થોની પૂર્ણતા સાધનારને આત્મિક ગુણોનો ભોગ આપવો પડે છે. (કેટલાકને તો એવા ભોગની ખબર પણ નથી હોતી.) બીજી બાજુ જેઓ આત્મિક ગુણોની પૂર્ણતા માટે પુરુષાર્થ કરે છે તેઓનો પૌદ્ગલિક પદાર્થ માટેનો મોહ સહજ રીતે છૂટી જાય છે. સ્વભાવસુખ અને વિભાવસુખ સાથે સાથે રહી શકતાં નથી.
અહીં કહ્યું છે કે જે અપૂર્ણ છે તે પૂર્ણતા પામે છે. જે જીવો ધનવૈભવ, સ્ત્રીપરિવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org