________________
૧. પૂર્ણાષ્ટક
૧૩
ઇત્યાદિ બાબતમાં ત્યાગવૈરાગ્યને કારણે અપૂર્ણ હોય છે તેઓ આત્મગુણોની અનુક્રમે પૂર્ણતા પામે છે. અન્ય પક્ષે જે જીવો ધનવૈભવ, માલમિલકત, પુત્રપરિવાર ઇત્યાદિ વિષયમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણો ગુમાવે છે એટલે કે હાનિ પામે છે. આમ જે અપૂર્ણ છે તે પૂર્ણ થાય છે અને જે પૂર્ણ છે તે અપૂર્ણ થાય છે.
જે જીવ ધનવૈભવની બાબતમાં અપૂર્ણ રહેવા ઇચ્છે છે, એટલું જ નહિ જે ધનવૈભવ પોતાની પાસે છે એનો પણ સમજપૂર્વક ત્યાગ કરવાની ભાવના સેવે છે તે જીવ આત્મગુણો પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે. ધનવૈભવ માટે આસક્તિ પહેલાં તુટવી જોઈએ એ આ વિષયમાં એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં મહત્ત્વની વાત છે. કેટલાયે ગરીબ માણસો પાસે ખાસ કશો ધનવૈભવ હોતો નથી. તેઓ અપૂર્ણ છે. પરંતુ એમના દિલમાં તો ધનવૈભવ મેળવવાની તીવ્ર અભિલાષા કે ઝંખના પડેલી હોય છે. ભૌતિક દૃષ્ટિએ એવા અપૂર્ણ માણસોના જીવનમાં એમની અપૂર્ણતાને કારણે આત્મિક ગુણો પ્રગટતા નથી. ઇન્દ્રિયોના ભૌતિક સુખ પ્રત્યે જીવ વિમુખ થઈ શકતો નથી. જીવોને ભૌતિક સુખ ભોગવાતું દેખાય છે. આત્મિક સુખ સૂક્ષ્મ અને સ્વાનુભવથી સમજાય એવું છે.
સંસારના જીવો અનાદિકાળથી ભૌતિક પ્રવૃત્તિમાં રાચનારા છે, એમાં જ તેઓ સુખ અનુભવનારા છે. પરંતુ એમનું આ સુખ ક્ષણિક, અપૂર્ણ અને અતાત્વિક છે. વસ્તુતઃ તે એક પ્રકારનો ભ્રમ છે. એવા જીવો સમક્ષ તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચ ઇત્યાદિ દ્વારા અનુભવાતા પૂર્ણાનંદની વાત કરવામાં આવે તો જો ન સમજાય તો તેઓ હસી કાઢે છે અને જો સમજાય તો તેથી તેમને આશ્ચર્ય થાય છે.
જે આત્મા પરભાવ અને પરપુગલથી મુક્ત થાય છે તે આત્માના જ્ઞાનાદિ ગુણો પુરુષાર્થથી ક્રમે ક્રમે પૂર્ણ સ્વરૂપે ખીલે છે. જ્યાં સુધી પુદ્ગલભાવોનો ત્યાગ થતો નથી ત્યાં સુધી આત્મગુણોની અપૂર્ણતા રહેવાની અને વિશુદ્ધ ઉચ્ચતર આત્માનંદનો અનુભવ થવાનો નહિ. એટલે આનંદ પ્રાપ્ત કરવા માટે પોદ્ગલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org