SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પૂર્ણાષ્ટક કૃપણ માણસને જીવનની પૂર્ણતા શામાં લાગે છે? માલમિલકત વગેરે પરિગ્રહ એકત્ર કરવામાં. તે ભોગાસક્ત છે. તે એનાથી પૂરાય છે એટલે કે સ્થૂલ પૂર્ણતા પામે છે. જો કે એની પૂર્ણતા પણ ક્ષણજીવી હોય છે, કેમ કે માલમિલકત વગેરે માટેનું એનું લક્ષ્યાંક પૂર્ણ થતાં તે રાજી થાય છે, ધરાય છે, જીવનમાં ઇચ્છાનુસાર કશીક પ્રાપ્તિ કર્યાનો અને આનંદ થાય છે, પરંતુ થોડો વખત જતાં જ એનું લક્ષ્ય બદલાય છે, મોટું થાય છે અને ફરી પાછી એની દોટ ચાલુ થઈ જાય છે. એટલે જ કૃપણ માણસ પોગલિક પ્રાપ્તિથી ક્યારેય કાયમની પૂર્ણતા અનુભવી નહિ શકે. જેઓ ડાહ્યા માણસો છે, તત્ત્વરસિક છે, મોક્ષાભિલાષી છે તેઓ ક્યારેય આવા કૃપણ માણસને પોતાના આદર્શ તરીકે નજર સમક્ષ નહિ રાખે. તેઓ તો કહેશે કે કૃપણની ઉપેક્ષા કરીશું, એનાથી વિમુખ થઈશું તો જ આત્મગુણોની પૂર્ણતાના પોતાના લક્ષ્ય તરફ ગતિ કરી શકીશું. એમ થશે તો જ પૂર્ણતાના અમૃતાનંદથી પોતાની દૃષ્ટિ આર્ટ બનશે. કૃપણ માણસોની મોહનીય કર્મને આધીન એવી ભૌતિક સુખો માટેની પૂર્ણતા ઉપાધિજન્ય છે, આરોપિત છે, ઔપચારિક છે, સવિકલ્પરૂપ છે, માનવસ્થિત છે, માટે તે અસ્વીકાર્ય છે. તે અનુસરવા જેવી નહિ પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. નશ્વર ચીજવસ્તુઓ સંગ્રહ કરવા લાયક નહિ, પણ ત્યાગ કરવા લાયક કે તરછોડવા લાયક છે. મનીષીઓની આવી દૃષ્ટિ હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોને યથાર્થ બોધ હોવા છતાં ભૌતિક ઇન્દ્રિયાર્થ વિષયોની ઉપેક્ષારૂપ પૂર્ણતા તેમનામાં હજુ પૂરેપૂરી આવી નથી હોતી, પરંતુ જેઓ મનીષી છે, જ્ઞાની છે, એમની દૃષ્ટિ આત્મતત્ત્વ પ્રતિ, ગુણો તરફ વળી હોય છે. એમનામાં એક ઊંચા પ્રકારનું દૃષ્ટિપરિવર્તન આવી ગયું હોય છે. એમના મનમાં પીગલિક પદાર્થો ગમે તેટલા સોહામણા હોય તો પણ તેનો મહિમા હવે રહ્યો નથી. તેમનામાં કેવળ ઉદાસીન વૃત્તિ અને અંતર્મુખતા આવી ગઈ હોય છે. તેમની સુધાસિક્ત દૃષ્ટિ હવે અજર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy