________________
જ્ઞાનસાર
ચંચલવૃત્તિનો, ભોગબુદ્ધિવાળો જીવ તૃષ્ણાપીડિત હોય છે. ભોગોપભોગની વિશાળ દુનિયા છે. અનેક પ્રકારનું વૈવિધ્ય એમાં છે. એટલે જ માણસની ભોગલાલસા ઓછી થતી નથી. એ મેળવવા માટે તે ગમે તેવું હલકું કામ કરનાર, દીનતાથી યાચનાર બને છે. તૃષ્ણારૂપી સર્પના ડંખની વેદના અસહ્ય, ભયંકર અને જીવલેણ હોય છે. દીનતારૂપી વીંછીના ડંખની વેદના અસહ્ય હોય છે, પણ એકંદરે તે જીવલેણ હોતી નથી. જાંગુલી વિદ્યાના સાધક જાણકારો મંત્રોપચારથી કાળોતરા નાગનું ઝેર પણ ઉતારી શકે છે. જેઓની પાસે જાંગુલી વિદ્યા હોય તેઓને પછી વીંછીના ડંખની વેદનાને ઉતારતાં વાર કેટલી લાગે ? એવી રીતે એક વાર તૃષ્ણા ઉપર વિજય મેળવાય, પછી દીનતાને જતાં વાર કેટલી? [૫] પૂર્વ ચેન પUસ્તક્ષેત્ર પૂર્ણતા
पूर्णानन्दसुधास्निग्धा दृष्टिरेषा मनीषीणाम् ।। १ ।। ५ ।। [શબ્દાર્થ પૂર્યન્તઃપુરાય છે, પૂર્ણ બને છે; યેન=જેના વડે, ધનાદિ પરિગ્રહ વડે;
પIT:=કંજૂસ, લોભી, તદુપેક્ષા–તેની ઉપેક્ષા; પવ=જ; પૂર્ણતા-સ્વાભાવિક પરિપૂર્ણતા; પૂર્વાનન્દસુધા=પૂર્ણાનંદરૂપી અમૃત; નિધ=સ્નિગ્ધ, આર્દૂ થયેલી; દૃષ્ટિ:=જ્ઞાનરૂપી દૃષ્ટિ; પણ આ મનીષામનીષીઓની; તત્ત્વજ્ઞાનીઓની.]
અનુવાદ-જે (ધનાદિ પરિગ્રહ) વડે પણ માણસો પૂર્ણ બને છે તેની ઉપેક્ષા એ જ પૂર્ણતા છે. પૂર્ણાનન્દરૂપી અમૃતથી આર્દ્ર બનેલી આ દષ્ટિ તત્ત્વજ્ઞાનીઓની હોય છે. (૫)
વિશેષાર્થ અહીં તત્ત્વદષ્ટિએ કૃપણ અને મનીષી વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. કૃપણ એટલે અહીં માત્ર લોભી કે કંજૂસ નહિ, પણ શુદ્ર, તુચ્છ, હિનસત્ત્વ સંસારરસિક જીવ. મનીષી એટલે જ્ઞાની, ધ્યાની, આત્મરમણતામાં મગ્ન એવા પ્રાજ્ઞ પુરુષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org