________________
૧. પૂર્ણાષ્ટક
આગળ હાથ લંબાવવો પડે છે, એની ખુશામત કરવી પડે છે. માણસ જો પોતાના અંતરમાં પડેલી ભૌતિક પદાર્થો માટેની આકાંક્ષાઓ દૂર કરી શકે તો પછી એને કોઈની આગળ પોતાની દીનતા પ્રગટ કરવાની જરૂર નહિ રહે. જીવને સ્વાધીન થતાં અને રહેતાં આવડવું જોઈએ. આ સંસારમાં આત્માથી ચડિયાતી કોઈ વસ્તુ નથી. મને મારો આત્મા મળી ગયો છે, મારા આત્માના ગુણોમાં મને રસ પડ્યો છે. એ માટે સ્વાધીન છે. તો હવે મારે કોઈકની પાસે કંઈક માગીને મારા આત્માને હલકો પાડવો નથી. આ ભાવ આવે તો દીનતા જાય. પણ દીનતાને જવા માટે અંતરમાં પડેલી તૃષ્ણાઓને દેશવટો આપવો પડશે. તૃષ્ણા છે તો દીનતા છે. તૃષ્ણા નથી તો દીનતા નથી.
પરંતુ તણાઓને દૂર કેવી રીતે કરવી ? જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહધર્મો પણ છે અને એ દેહધર્મો માટે તૃષ્ણાઓ જાગે છે. આ અનાદિકાળના સંસ્કાર છે. એવા સંસ્કાર ઉપર વિજય મેળવવો હોય તો દેહ પરથી દષ્ટિ ખસેડી આત્મા પર લાવવી જોઈશે. અનંત ગુણોથી સભર એવો આત્મા કેટલો બધો સમૃદ્ધ છે ! એ સમૃદ્ધિ તરફ નજર રાખીએ, આત્મિક ગુણોને વિકસાવવાનું લક્ષ્ય રાખીએ તો દેહિક વાસનાઓ, તૃષ્ણાઓ મંદ પડવા લાગશે. સમય જતાં નિર્મળ થઈ શકશે. એક વખત સ્વભાવમાં રમણતાનો સ્વાદ ચાખવા મળશે એટલે ભૌતિક વાસનાઓ, તૃષ્ણાઓ ઓછી થતી જશે. અલબત્ત, આ બધું કહીએ એટલું સરળ નથી, કારણ કે અવળા સંસ્કાર અનાદિ કાળથી ચાલ્યા આવે છે. એનું જોર ઘણું મોટું છે. પરંતુ એક વખત તૃષ્ણાઓ ઉપર વિજય મેળવીએ, પછી દીનતાને દૂર કરતાં વાર નહિ લાગે.
જ્ઞાની મહાત્માઓએ સાંસારિક સુખો પ્રાપ્ત કરવા માટેની તૃષ્ણા ઉપર વિજય મેળવ્યો હોય છે. અસાર સંસારના યથાર્થ સ્વરૂપનું એમને દર્શન થયું હોય છે. એટલે તૃષ્ણા કે દીનતા એમને સતાવતાં નથી.
ગ્રંથકારશ્રીએ આ શ્લોકમાં તુણા માટે સર્પના ડંખનું અને દીનતા માટે વીંછીના ડંખનું રૂપક પ્રયોજયું છે. તૃષ્ણા અર્થાત્ લાલસા એ સર્પના ડંખ જેવી ભારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org