________________
જ્ઞાનસાર
રત્નો વડે છે. સમુદ્ર તો રત્નાકર, રત્નોની ખાણ કહેવાય છે. ગમે તેટલાં રત્નો એમાંથી કાઢો, એ ક્યારેય ખૂટે નહિ.
આવી રીતે પરવસ્તુના સંયોગથી પ્રાપ્ત થયેલી પૂર્ણતામાં રાગદ્વેષાદિના વિકલ્પો રહેલા હોય છે. એવી વૈભાવિક પૂર્ણતા અલ્પકાલીન અને મલિન હોય છે. આત્માના ગુણરત્નોથી સભર એવી પૂર્ણતા સ્થિર, નિર્મળ, નિર્વિકલ્પ અને શાશ્વત હોય છે. પ્રાપ્ત કરવા જેવી પૂર્ણતા એ જ છે! [४] जागर्ति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजामुली ।
पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना ।। १ ।। ४ ।। [શબ્દાર્થ ના =જાગે છે, પ્રગટ થાય છે; જ્ઞાનવૃષ્ટિ =જ્ઞાનરૂપી દષ્ટિ; વેજો; તૃ-તૃષ્ણા, તૃષ્ણારૂપ; વૃM=કાળો; દિ=સાપ; નાથુલ્લી=સાપનું ઝેર ઉતારવા માટેનો મંત્ર, ગારૂડી મંત્ર, પૂર્ણાન =પૂર્ણ આનંદવાળાને; તત્રતો;
=કેમ; સ્વાતંત્ર હોય; વૈચ=દીનતા, દીનતારૂપી; વૃશ્ચિ= વીંછી; વેદના=પીડા]
અનુવાદ-જો તૃષ્ણારૂપી કાળા સર્પના ઝેરને ઉતારનારી જાંગુલી વિદ્યા સમાન શાનદષ્ટિનો ઉઘાડ થયો છે, તો પૂર્ણા નદમય આત્માને દીનતારૂપી વીંછીની વેદના કેમ હોઈ શકે ? (૪). વિશેષાર્થ જીવનમાં જ્યાં સુધી તૃષ્ણાઓ છે ત્યાં સુધી માણસને ગમે તેટલું ભૌતિક સુખ પ્રાપ્ત થાય તો પણ તે ઓછું પડે છે. જેમ જેમ ઇચ્છાઓ તૃપ્ત થતી જાય છે તેમ તેમ નવી નવી ઇચ્છાઓ પ્રદીપ્ત થતી જાય છે. ધનદોલત, સત્તા, યશકીર્તિ, પરિવાર વગેરેના સુખ માટે માણસની દોટ અવિરત ચાલ્યા કરે છે, કારણ કે મૃગજળ જેવા એ સુખનું સ્વરૂપ જ એવું છે. તૃષ્ણા માણસને દીન બનાવે છે. જે લાલસા જાગે છે તે પૂર્ણ કરવા માટે બીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org