________________
૧. પૂર્ણાષ્ટક
તે દ્દશ્ય કેટલું મનોહર લાગે છે ! પાણીના તરંગો એટલે કે મોજાંઓ જાણે ખૂટતાં જ ન હોય એવું લાગે ! આટલાં બધાં મોજાંઓ ઉપરાઉપરી ક્યાંથી આવે છે એની પણ ખબર પડતી નથી. દરિયો ભરેલો ભરેલો લાગે છે! સાગર પૂર્ણતાથી ઉભરાતો દેખાય છે !
એ જ સમુદ્રકિનારે થોડા કલાક વધુ ઊભા રહીએ તો ઊછળતાં એ મોજાં ધીમે ધીમે શમી જાય છે અને પછી તો ઓટ ચાલુ થતાં પાણી ઓછું અને ઓછું થાય છે અને આઘું ખસતું જાય છે. દરિયો જાણે ખાલી થવા ન બેઠો હોય !
પાછો સમય થતાં ભરતી અને ફરી પાછી ઓટ એમ સાગરકિનારે પૂર્ણતા અને અપૂર્ણતાનું ચક્ર ચાલ્યા જ કરે છે.
એ જ મહાસાગરમાં મધદરિયે સહેલગાહ કરતા હોઈએ તો મહાસાગર કેવો ભરેલો અને શાન્ત, સ્થિર, સ્વસ્થ લાગે છે. ત્યાં પૂર્ણતા એટલે પૂર્ણતા, પછી ખાલી થવાપણું નહિ.
પૌદ્ગલિક સુખો કે સુખોના વિચારો કે વિકલ્પો એ સમુદ્રકિનારે થતાં ભરતીનાં દર્શન જેવાં છે. માણસ ધનધાન્ય, સ્ત્રીપરિવાર, વાડીબંગલા, મોટરગાડી, વસ્ત્રો, ઉ૫ક૨ણો અને અલંકારો, એરપોર્ટથી એ૨પોર્ટ ઉડાઉડ, ભોજનાદિના જલસા એ બધાથી પોતાની જાતને કેટલો બધો ભરેલો ભરેલો, પરિપૂર્ણ સમજે છે. ઇચ્છા પ્રમાણે બધી ચીજવસ્તુઓ એને મળતી જાય છે. એક મોજું પૂરું થયું ત્યાં બીજું મોજું આવીને ઊભું રહ્યું જ હોય.
પરંતુ આ ભૌતિક, વૈકલ્પિક સુખને ખૂટતાં વાર નથી લાગતી. એક ભવમાં નહિ, તો અન્ય ભવમાં એનો હ્રાસ થયા વગર રહેતો નથી. એક ભવમાં પણ વૃદ્ધાવસ્થા આવતાં તે ભોગવવાની શક્તિ પણ રહેતી નથી. રોગાદિને કારણે એવી સમૃદ્ધિને જોઈને ઉદ્વેગ પણ થાય છે. ભરતીનાં મોજાઓમાં સાથે કચરો પણ ક્યાં નથી આવતો ? વળી તરંગો વડે સર્જાતી સમુદ્રની પૂર્ણતા જૂઠી, અવાસ્તવિક, કાલ્પનિક હોય છે, માયાવી હોય છે. પરંતુ શાન્ત સાગરની પૂર્ણતા
Jain Education International
For Personal & Private Use Only
જી
www.jainelibrary.org