________________
જ્ઞાનસાર
અક્ષય નથી હોતું. એવી માનેલી પૂર્ણતા સમય થતાં નષ્ટ થઈ જાય છે. પૂર્વકૃત પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી એ પ્રાપ્ત થાય છે. પુણ્યનો ક્ષય થતાં બધું જ સમેટાઈ જાય છે.
તત્ત્વરસિક સાધકોને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી આત્મસ્વભાવમાં રમણતારૂપી જે પૂર્ણતાનો અનુભવ થાય છે તે ઉત્તમ કોટિના જાત્યરત્નની કાંતિ જેવો છે. એ રત્નના તેજમાં જે સ્થિરતા અને શુદ્ધિ હોય છે એમાં વધઘટ થતી નથી. એની કાન્તિ તાત્વિક છે, સ્વાભાવિક છે અને કાયમની છે. સાધક મુનિઓએ આવા જાત્યરત્નની કાન્તિ જેવી આત્મસ્વભાવની પૂર્ણતા પ્રગટ કરવાની છે. [3] વાસ્તવી વિક્ષ: યાત્ પૂર્ણીતાડવ્યેરિવોમિ:
પૂનત્તુ માવા તિમિતથિન્નિમ: || 2 3 | [શબ્દાર્થ અવાસ્તવી=અવાસ્તવિક, કલ્પિત વિન્ધ=વિકલ્પો વડે, કલ્પનાઓ વડે; યાત=હોય; પૂર્ણતા=પૂર્ણતા; મળે =સમુદ્રના =જેમ;
મિ =ઊર્મિઓ, મોજાંઓ, તરંગો વડે; પૂર્ણાનઃ=પૂર્ણ આનંદવાળો; તુ=પરંતુ, મળવા=વિશુદ્ધ આત્મા સ્તિમિત સ્થિર, નિકળ; યિ=સમુદ્ર ત્રિમ =જેવો.]
અનુવાદ-જેમ મોજાંઓ વડે સમુદ્રની પૂર્ણતા (વાસ્તવિક નથી), તેમ વિકલ્પો વડે થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદમય ભગવાન (શુદ્ધાત્મા) સમુદ્ર જેવા નિશ્ચળ છે. (૩)
વિશેષાર્થ એક બાજુ પોદ્ગલિક સુખોની પૂર્ણતા અને બીજી બાજુ આત્માના ગુણોની પૂર્ણતા એ બેને સમજાવવા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં સાગરમાં જોવા મળતી બે પ્રકારની પૂર્ણતાનું ઉદાહરણ આપ્યું છે.
સમુદ્રતટે ભરતીના સમયે જો આપણે ઊભા હોઈએ તો એક પછી એક ઘૂઘવાતાં મોજાંઓ આવીને કિનારે અથડાતાં હોય અને પાણીમાં જાણે ઉભરો આવ્યો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org