________________
૧. પૂર્ણાષ્ટક
[શબ્દાર્થઃ પૂર્ણતા=પૂર્ણતા, પૂર્ણપણું, યા=જે, પરોપા =પર+ઉપાધિથી, પર વસ્તુના નિમિત્તથી; સ=; યાવિત=માગી લાવેલાં, મધ્વન–સુશોભન, અલંકારો, ઘરેણાં યા=જે; તુ=પરંતુસ્વામવિક્કી=સ્વભાવથી સિદ્ધ સ્વાભાવિક પૂર્ણતા; સૈવ સાવ=તે જ; નાટ્યરત્ન=જાતિવાન રત્ન, ઉત્તમ રત્ન; વિમાનિમા=કાન્તિ જેવી.]
અનુવાદ-પર વસ્તુના નિમિત્તથી જે પૂર્ણતા થાય છે તે માગી લાવેલાં ઘરેણાં જેવી છે; પરંતુ જે સ્વાભાવિક પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાનિ જેવી છે. (૨)
વિશેષાર્થઃ પ્રથમ શ્લોકમાં બતાવ્યું તેમ કેટલાક લોકો પોદ્ગલિક સુખમાં પોતાની પરિપૂર્ણતા માને છે, પરંતુ આ માનેલી પરિપૂર્ણતા ભ્રામક અને અલ્પકાલીન છે. આ તથ્યને દર્શાવવા માટે ગ્રંથકારશ્રીએ અહીં એક સચોટ ઉદાહરણ આપ્યું છે. લગ્નાદિ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કોઈનાં ઉછીનાં માંગી આણેલાં ઘરેણાં પહેરીને માણસ એ પ્રસંગે મહાલે છે. પરંતુ પ્રસંગ પતી ગયા પછી એ ઘરેણાં પાછાં આપી દેવાં પડે છે. ઘરેણાં પહેરી માણસ થોડો વખત શ્રીમંત દેખાય છે. આ વાતની ખબર ન હોય એવા લોકો એની શ્રીમંતાઈનાં-આભૂષણોનાં વખાણ કરે છે. આભૂષણો પહેરનાર પોતે પણ થોડો વખત એવા ભ્રમમાં રહે છે કે પોતે કેવો શોભી રહ્યો છે. એ વખતની પોતાની પૂર્ણતા એ માત્ર કાલ્પનિક અથવા માની લીધેલી હોય છે. કદાચ સાચી છે એવો પોતાને ભ્રમ રહે તો પણ તે ભ્રમ થોડા વખત પૂરતો જ છે. પછી વાસ્તવિક અપૂર્ણતા સ્પષ્ટ ભાસે છે.
સામાન્ય માણસોને શ્રીમંતાઈના સુખનું એક સ્વપ્ન હોય છે. સુંદર, સુદઢ શરીર, ભરપૂર ધનધાન્ય, વિશાળ ઘર, રાચરચીલું, સ્વજનો, યશકીર્તિ ઈત્યાદિ પોતાની ધારણા પ્રમાણે મળે એટલે જીવનની એક પ્રકારની પરિપૂર્ણતા સમજાય છે. આવો ખ્યાલ દરેકને પોતપોતાની કક્ષા અનુસાર હોય છે. ચક્રવર્તીને અને ઇન્દ્રોને પણ એવો અનુભવ થાય છે. પરંતુ પુગલ પર આધારિત આવું સુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org