________________
જ્ઞાનસાર
મિથ્યાત્વરૂપી અંધકારમાં અટવાયેલા હોય તેઓને પૂર્ણતાવાળા કહેવા એ એક પ્રકારની શું ભ્રાન્તિ ન કહેવાય ? પરંતુ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પોતે જ “જ્ઞાનસાર” ઉપર લખેલા ટબામાં કહ્યું છે કે આમાં નિશ્ચયનયની દૃષ્ટિએ ભ્રાન્તિ નથી. નિશ્ચયનય સર્વ જીવોમાં રહેલા શુદ્ધાત્માને, સત્, ચિત્ત અને આનંદથી પરિપૂર્ણ એવા આત્માને નિહાળે છે. એથી જ એવા જ્ઞાની મહાત્માઓ ચક્રવર્તી કરતાં અને ઇન્દ્ર કરતાં પણ વધુ સુખ અનુભવે છે. એ માટે ઉપાધ્યાયજી મહારાજે બાલાવબોધમાં “પ્રશમરતિ પ્રકરણ'નો નીચેનો શ્લોક ટાંક્યો છેઃ
नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य ।
तत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। [ રાજરાજ અર્થાતુ રાજાના રાજા ચક્રવર્તીને અને દેવરાજ અર્થાત્ ઇન્દ્રને પણ જે સુખ અનુભવવા મળતું નથી તે લોકવ્યાપારથી રહિત અર્થાત્ લોકેષણાથી રહિત સાધુ મહાત્માને હોય છે.]
એક છેડે સંસારનું ભૌતિક સુખ છે અને બીજે છેડે પૂર્ણ પ્રકાશમાન જ્યોતિ સ્વરૂપ આત્માના સચ્ચિદાનંદરૂપી ગુણોના પૂર્ણ પ્રાગટ્યનું સુખ છે. જ્ઞાની મહાત્માઓ એ આધ્યાત્મિક સુખ અનુભવી શકે છે કે જ્યારે તેઓ પોતાના આત્માના ગુણોને પ્રગટાવે છે. આત્મા અનંત ગુણોથી ભરેલો છે. પરંતુ સંસારી આત્મા અનંત દોષોથી આવરાયેલો છે કે જે ગુણોને પ્રગટ થવા દેતો નથી. સાધકે પોતાની સાધના વડે દોષોને દૂર કરતાં જવું જોઈએ. જેમ જેમ જે જે દોષ દૂર થતો જશે તેમ તેમ એનો પ્રતિપક્ષી એવો ગુણ પ્રગટ થતો જશે. આ રીતે સાધકે પૂર્ણતાને પ્રાપ્ત કરવાની છે. આત્મામાં સચ્ચિદાનંદરૂપ જે પૂર્ણતા રહેલી છે તેને પ્રકાશિત કરવાની છે. [૨] પૂર્ણાત યા પરોપાશેઃ સ યતવમાઉનમ્ |
યાતુ સ્વામીવિલી સૈવ જ્ઞાત્યરત્નવિમાનમાં i ? ૨ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org