________________
નથી, તેવી રીતે બધા જ જીવો આત્માનું પરિપૂર્ણ સુખ અનુભવતા નથી. એટલે જ અહીં સાપેક્ષ દૃષ્ટિએ રજૂઆત કરવામાં આવી છે અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનું લક્ષ્યાર્થ દર્શાવવામાં આવ્યું છે.
જે જીવ જે કક્ષાનો હોય તે પોતાની કક્ષા અનુસાર બીજા જીવોના પૌદ્ગલિક સુખનો વિચાર સામાન્ય રીતે કરે છે. તિર્યંચ ગતિના જીવોનું, પશુપંખીઓનું પૌદ્ગલિક સુખ અમુક મર્યાદાવાળું છે. એના કરતાં મનુષ્યનું પૌદ્ગલિક સુખ, પંચેન્દ્રિયની પરિપૂર્ણતાને લીધે, ચડિયાતું છે. મનુષ્યોમાં સાધારણ ગરીબ માણસોના સુખ કરતાં શ્રીમંતોનું ભૌતિક સુખ ચડિયાતું છે. શ્રીમંતો કરતાં રાજાનું, સત્તાધીશોનું સુખ ચડિયાતું છે અને રાજાઓમાં ચક્રવર્તીનું સુખ મનુષ્યોમાં ઉચ્ચતમ ગણાય છે. ચક્રવર્તી કરતાં વૈક્રિય લબ્ધિવાળા દેવોનું સુખ ચડિયાતું છે અને દેવોમાં પણ ઇન્દ્રનું પૌદ્ગલિક સુખ સર્વથી શ્રેષ્ઠ મનાય છે. ઇન્દ્ર પોતે એવા પૌદ્ગલિક સુખથી પોતાની જાતને પરિપૂર્ણ માને છે અને એને એમ લાગે છે કે આખું જગત પોતાના જેવું પૂર્ણ સુખ ભોગવી રહ્યું છે. જ્યાં સુધી બીજાની સ્થિતિનો વાસ્તવિક વિચા૨ કે અનુભવ ન હોય ત્યાં સુધી આવો ભ્રમ રહેવાનો. ફ્રાન્સની રાણી મેરીએ રસ્તામાં ગરીબ દુઃખી લોકોને જોઈને પોતાના નોકરને પૂછ્યું કે ‘આ લોકો કેમ દુઃખી છે?' નોકરે કહ્યું, ‘કારણકે એમની પાસે ખાવાને પાઉં નથી.’ તો, રાણીએ કહ્યું, ‘પાઉં ન હોય તો કેક ખાય.’ પણ રાણીને ક્યાં ખબર હતી કે પાઉં કરતાં કેક ઘણી મોંઘી આવે છે. જેને પાઉં ન પરવડે તેને કેક તો ક્યાંથી પરવડે ? (જેને દાળભાત ન મળતાં હોય તે શીરોપૂરી ખાય એમ કેવી રીતે કહેવાય ?) એવી રીતે ઇન્દ્રને પણ આખું જગત પોતાની જેમ પૌદ્ગલિક સુખથી પરિપૂર્ણ દેખાય છે.
જ્ઞાની મહાત્માઓ કે જેઓએ સચ્ચિદાનંદની પરિપૂર્ણતા અનુભવી હોય અને જેઓને સર્વ જીવોમાં કેવળ શુદ્ધાત્માનું જ દર્શન થતું હોય તેઓને સમગ્ર જગત એવું પરિપૂર્ણ ભાસે એ સ્વાભાવિક છે. કોઈ પ્રશ્ન કરે તો કે જગતના જીવો
Jain Education International
For Personal & Private Use Only
8
www.jainelibrary.org