SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ “જ્ઞાનસાર' ગ્રંથની રચના મુખ્યત્વે મુનિઓને લક્ષમાં રાખીને, એમને સંબોધીને કરી છે. જૈન દર્શનમાં તો કેટલા બધા વિષયોની કેટલી બધી તાત્વિક, પારિભાષિક, તલસ્પર્શી મીમાંસા કરવામાં આવી છે! આ ગ્રંથમાં એવી પારિભાષિક જટિલતા નથી. અહીં જુદા જુદા વિષયો ઉપર સંક્ષેપમાં સારગ્રાહી વિચારણા વિશદતાથી રજૂ થઈ છે. આ બધા વિષયોની સંકલના પણ ક્રમબદ્ધ, શૃંખલાબદ્ધ રીતે કરવામાં આવી છે. એટલે જ ગ્રંથનું “જ્ઞાનસાર' એવું નામ પણ યથાર્થ છે. સકલ શાસ્ત્રોમાં પારંગત એવા ન્યાયવિશારદ ઉપાધ્યાયજી મહારાજ આવા ગ્રંથની રચના કરવા માટે સવિશેષ અધિકારી છે. એમણે ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર નગરમાં દિવાળીના દિવસે આ ગ્રંથની રચના પૂર્ણ કરી હતી. વળી એમણે આ ગ્રંથ ઉપર સિદ્ધપુરના શ્રેષ્ઠી સૂરજીના પુત્ર શાન્તિદાસ માટે બાલાવબોધની-ટબાની રચના કરી હતી એવો નિર્દેશ બાલાવબોધમાં કર્યો છે. બત્રીસ અષ્ટકના આ ગ્રંથના પહેલા અષ્ટકનું નામ છે “પૂર્ણતા.” બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો જગતમાં અપૂર્ણતા છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે મથામણ છે. કેટલાકને બાહ્ય ભૌતિક દૃષ્ટિએ પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. અર્થાતુ પોતાની ઇચ્છાઓ પાર પડે છે. પણ એ પૂર્ણતા બીજાની દૃષ્ટિએ અપૂર્ણતા હોઈ શકે છે. આધ્યાત્મિક સુખની દૃષ્ટિએ જોઈએ તો સંસારમાં અપૂર્ણતા છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે. કેટલાકને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનયની અને નિશ્ચયનયની દૃષ્ટિએ પગલિક એટલે કે ભૌતિક સુખની અને આત્મિક સુખની વિભાવના અહીં રજૂ કરવામાં આવી છે. આ પ્રથમ શ્લોકનું તાત્પર્ય એ છે કે જેમ સુખી માણસ સર્વને સુખી જાણે છે તેમ જ્ઞાની મહાત્માઓ નિશ્ચય નયથી જગતના સર્વ જીવોમાં રહેલા શુદ્ધાત્માને સત્, ચિત અને આનંદથી પરિપૂર્ણ જાણે છે. વાસ્તવિક રીતે જોઈએ તો જગતમાં બધા જ જીવો પોદ્ગલિક સુખમાં પરિપૂર્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy