________________
૨૪. શાસ્ત્રાષ્ટક
૩ ૨૫
[૧૯] શુદ્ધચ્છદ શાસ્ત્રીજ્ઞાનિરપેક્ષી નો હિતમ્ |
भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिवारणम् ।।२४।।६।। [શબ્દાર્થ : શુદ્ધોછાદv=શુદ્ધ ભિક્ષા વગેરે બાહ્યાચાર પણ; શાસ્ત્રીજ્ઞાનિરપેક્ષ શાસ્ત્રની આજ્ઞાની અપેક્ષા વગરને, સ્વછંદમતિવાળાને; ન=નહિ; હિત—હિત કરનાર; મૌતદન્ત =ભૌતમતિને હણનારને; યથા=જેમ; તસ્ય તેના; પસ્પર્શ=ચરણસ્પર્શનો; નિવારમ=નિવારવો, નિષેધ કરવો.
અનુવાદઃ જેમ ભોતમતિને હણનારને તેના (ભોતમતિના) પદસ્પર્શનું નિવારણ હિતકર નથી, તેમ શાસ્ત્રની આજ્ઞાની અપેક્ષારહિત શુદ્ધ ભિક્ષા વગેરે પણ હિતકર નથી. (૬)
વિશેષાર્થ : પ્રતિવર્ષ સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા લઈ અનેક નવદીક્ષિતો પોતપોતાના સમુદાયમાં જોડાય છે. તેઓ પોતાના ગુરુભગવંતની કે ગચ્છાધિપતિની આજ્ઞામાં રહે છે. ગચ્છાધિપતિ શાસ્ત્રવિહિત સામાચારી મુજબ પોતાનું જીવન જીવે છે અને સમુદાયને પણ એ પ્રમાણે આચાર પાલન માટે કહે છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત તે આજ્ઞા છે. એટલા માટે કહેવાયું છેઃ સાપIણ થપ્પો આજ્ઞા પ્રમાણે ધર્મનું પાલન કરવું અને આજ્ઞા એ જ ધર્મ. આ આજ્ઞા આવે છે ક્યાંથી ? ગુરુપરંપરાએ જોતાં જોતાં છેવટે તો ભગવાનનાં વચનોમાંથી, આગમગ્રંથોમાંથી, શાસ્ત્રોમાંથી આજ્ઞા આવે છે. આજ્ઞામાં સિદ્ધાન્તની વાત હોય અને આચરણની વાત હોય. કેટલાક આચરણનું પાલન બરાબર કરે પણ સિદ્ધાન્તનું નહિ. તેઓ શાસ્ત્રની આજ્ઞાનું હાર્દ કે રહસ્ય બરાબર ન સમજ્યા હોય એવું બને. આવા સંજોગોમાં આચરણ કરતાં પણ સિદ્ધાન્તના મર્મનું, આજ્ઞાનું મહત્ત્વ વધારે ગણાય.
કોઈ સાધુ મહારાજ આચરણ બરાબર પાળે, જેમ કે બેતાલીસ દોષરહિત ગોચરી વહોરી લાવે અને તે પ્રમાણે વાપરે, સંથારો, કેશલોચ, બ્રહ્મચર્યનું પાલન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org