________________
૩૨૬
રિસાનસાર
પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે ક્રિયાઓ કરે, આયંબિલ ઉપવાસ વગેરે તપશ્ચર્યા ઇત્યાદિનું પાલન ચુસ્ત રીતે કરે, પણ પોતાના ગુરુ ભગવંતની આજ્ઞા એટલે કે શાસ્ત્રની આજ્ઞા ઉત્થાપે તો એથી એમનું આત્મહિત થતું નથી.
મુનિ મહારાજનું જીવન શાસ્ત્ર-સાપેક્ષ હોવું જોઈએ. શાસ્ત્ર-સાપેક્ષ એટલે કે શાસ્ત્રને માન્ય હોય એવું જોઈએ, શાસ્ત્રને અમાન્ય હોય એવું નહિ. શાસ્ત્રાજ્ઞાનું હાર્દ સમજવું એ સૌથી મહત્ત્વનું છે. આ સંદર્ભમાં પ્રાચીન સમયનું એક દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
એક શબર (ભીલ જાતિ) રાજા હતો. તે જંગલમાં રહેતો હતો અને જંગલમાં એના રાજ્યમાં ભીલ લોકો રહેતા કે જેઓ ધનુષ્યવિદ્યામાં કુશળ હતા. રાજાને લાગ્યું કે પોતાને કોઈક ગુરુ હોવા જોઈએ. તપાસ કરતાં દૂર એક ગામમાં એક સંન્યાસી મહારાજ છે એમ જાણ્યું. એમનું નામ ભૌતમતિ. રાજા પોતાની રાણી, પરિવારના સભ્યો અને સેવકો સાથે ભૌતમતિનાં દર્શને ગયો. ભૌતમતિથી તેઓ પ્રભાવિત થયા. એણે ભૌતમતિને પોતાના ગુરુપદે સ્થાપ્યા. ગુરુનાં ચરણ અત્યંત પવિત્ર ગણાય એટલે તેઓ બધાંએ ચરણસ્પર્શ કર્યા. રાજાએ ગુરુ ભૌતમતિને કહ્યું કે કંઈ જરૂર હોય તો કહેવડાવજો.
રાજા પોતાના ગામમાં પાછા ફર્યા. બધાએ ભૌતમતિ ગુરુની પ્રશંસા કરી. રાણીએ કહ્યું કે “ભૌતમતિ પાસે મોરના પીછાંવાળું જે છત્ર છે તે બહુ સુંદર છે. મારે એ છત્ર જોઈએ છે.” રાણીએ હઠ લીધી એટલે રાજા ગયો ભૌતમતિ પાસે. રાણીને છત્ર બહુ ગમી ગયું છે એની વાત કરી. ભૌતમતિ રાજી થયા, રાજાએ કહ્યું, “આ છત્ર તમે રાણી માટે આપો.”
ભૌતમતિએ કહ્યું, “છત્ર અમારાથી અપાય નહિ.” રાજાએ આગ્રહ કર્યો તો પણ ભૌતમતિએ સ્પષ્ટ ના કહી, એથી ગુસ્સે થયેલો રાજા પોતાના ગામમાં પાછો આવ્યો. રાણી નિરાશ થઈ અને તે પણ ગુસ્સે ભરાઈ. એટલે રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે ગુરુ પાસેથી છત્ર પડાવી લાવો. જરૂર પડે તો ગુરુનો વધ કરીને એમની પાસેથી છત્ર લઈ આવો. પણ બાણ એવી રીતે મારજો કે જેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org