SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨૭ ગુરુના પવિત્ર ચરણને કંઈ થવું ન જોઈએ.” સૈનિકો એ રીતે ભૌતમતિને મારીને છત્ર લઈ આવ્યા ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો કે “ગુરુનાં ચરણને કશું થયું નથી ને ? કારણ કે ગુરુનાં ચરણ બહુ પવિત્ર વસ્તુ સૈનિકોએ જ્યારે કહ્યું કે ભૌતમતિ મૃત્યુ પામ્યા, પણ એમના ચરણને કશી ઈજા થઈ નથી ત્યારે રાજાએ પ્રસન્ન થઈ સૈનિકોને શાબાશી આપી. ભૌતમતિનું દૃષ્ટાન્ત એ સૂચવે છે કે શાસ્ત્રની આજ્ઞાનું હાર્દ ન સમજો અને બીજી બધી ક્રિયાઓ ચીવટપૂર્વક કરો તો તેથી પોતાનું આત્મહિત સધાતું નથી. [૧૯૧] જ્ઞાનાદિ મહામત્રં સ્વીષ્ઠીરનમ્ ___ धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः ।।२४।।७।। [શબ્દાર્થ : અજ્ઞાનાદિ=બજ્ઞાન+હિં=અજ્ઞાનરૂપી સર્પ; મહામન્ત્ર=મહામંત્ર, સર્પનું ઝેર ઉતારવામાં મહામંત્ર સમાન; સ્વાચ્છન્દ=સ્વાચ્છેદ્ય, સ્વચ્છંદતા; વ=તાવ; નધન—લાંઘણ, ઉપવાસ; ધર્મારામ=ધર્મરૂપી ઉદ્યાન; સુધી જ્યાં=સુધા અર્થાત્ અમૃતની નીક જેવા; શાસ્તં=શાસ્ત્રને; માઠું =કહે છે; મર્ષય:=મહર્ષિઓ.] અનુવાદઃ મહર્ષિઓ શાસ્ત્રને, અજ્ઞાનરૂપી સર્પને વશ કરનાર (સર્પનું ઝેર ઉતારનાર) મહામંત્ર, સ્વચ્છંદતારૂપી જ્વરને ઉતારવામાં લાંધણ, ધર્મરૂપી ઉદ્યાનમાં અમૃતની નીક સમાન કહે છે. (૭) વિશેષાર્થ : શાસ્ત્રોને માટે દીપકનું રૂપક પ્રયોજ્યા પછી બીજાં ત્રણ યથાર્થ રૂપકો અહીં પ્રયોજવામાં આવ્યાં છે. શાસ્ત્ર મહામંત્ર, લાંઘણ અને અમૃતની નીક શાસ્ત્રોના વિભિન્ન ઉપયોગોને જુદી જુદી રીતે ઘટાવીને એની સાર્થકતા અહીં દર્શાવવામાં આવી છે. મિથ્યાત્વરૂપી અજ્ઞાનને સર્પ તરીકે બતાવવામાં આવે છે. સર્પનું ઝેર તત્પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy