________________
૩ ૨૮
જ્ઞાનસાર
જીવલેણ હોય છે. માણસ કે ગાય, ઘોડા જેવાં પ્રાણી પણ તરત મૃત્યુ પામે છે. જેમને જાંગુલિ મંત્ર આવડતો હોય તે એ મંત્ર ભણીને ઝેર ઉતારે છે. અજ્ઞાન અથવા મિથ્યાત્વરૂપી સર્પ તો એથી વધુ ભયંકર છે. ભવોભવ તેનું ઝેર ચાલે છે. એ ઝેર ઉતારવા માટે મહામંત્ર જોઈએ-આપણાં શાસ્ત્રો એ મહામંત્રનું કામ કરે છે એમ મહર્ષિઓ કહે છે.
સ્વચ્છંદતા એ મોહનો જુવર એટલે કે તાવ છે. જ્યાં સુધી જીવમાં સ્વચ્છંદતા છે ત્યાં સુધી તેને મોક્ષ માટે યોગ્યતા પ્રાપ્ત થતી નથી. તાવ ઉતારવા માટેનો આયુર્વેદ પ્રમાણે ચાલતો પ્રથમ ઉપાય તે લાંઘણ અથવા ઉપવાસ છે. સ્વચ્છંદતા રૂપી તાવ ઉતારવા માટે શાસ્ત્રો લાંઘણ તુલ્ય છે.
તદુપરાંત શાસ્ત્રો અમૃતની નીક સમાન છે. ધર્મરૂપી બગીચો સુકાઈ જતો અટકાવવાનું કામ શાસ્ત્રો કરે છે, એટલું જ નહિ તેને પોષણ આપી સુંદર રીતે જીવાડવાનું અને વિકસાવવાનું કાર્ય પણ શાસ્ત્રો કરે છે.
મહર્ષિઓએ આપણાં મૂલ્યવાન શાસ્ત્રોની ઉપયોગિતા સરસ રીતે દર્શાવી છે. [૧૯૫] શાસ્ત્રોક્તાવાર વર્તા વ શાસ્ત્રજ્ઞ: શાસ્ત્રદેશ: I
शास्त्रैकग् महायोगी प्राप्नोति परमं पदम् ।।२४।।८।। [શબ્દાર્થ શાસ્ત્રોક્ત=શાસ્ત્રમાં કહેલા; બાવર#ર્તા–આચાર પાળનાર; =અને; શાસ્ત્રજ્ઞ શાસ્ત્રને જાણવાવાળા; શાસ્ત્ર શાસ્ત્રનો ઉપદેશ કરનાર, શાસ્ત્ર અનુસાર ઉપદેશ આપનાર; શાસ્સેદ=શાસ્ત્રમાં એક દૃષ્ટિવાળા, માત્ર શાસ્ત્રાનુસાર દૃષ્ટિવાળા; મહાયોગી=મહાન યોગી; મનોતિ પ્રાપ્ત કરે છે. પામે છે; પરમં=પરમ; પર્વ=પદને (મોક્ષને).]
અનુવાદઃ શાસ્ત્રમાં કહેલા આચારોનું પાલન કરનાર, શાસ્ત્રને જાણવાવાળા, શાસ્ત્રનો ઉપદેશ આપનાર અને શાસ્ત્રમાં એક દષ્ટિવાળા મહાયોગી પરમ પદને પામે છે. (૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org