SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. શાસ્ત્રાષ્ટક ૩ ૨૯ વિશેષાર્થ : વર્તમાનકાળમાં મોક્ષમાર્ગની આરાધના માટે મુખ્ય બે આલંબન છે; જિનબિંબ અને જિનાગમ. જિનાગમ એટલે ગણધર ભગવંતોએ ગૂંથી લીધેલી તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી નીકળેલી વાણી. આ જિનાગમો ઉપર પૂર્વાચાર્યોએ નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા ઇત્યાદિ સ્વરૂપે ઘણો પ્રકાશ પાથર્યો છે. જીવન સંકુલ છે, અધ્યાત્મની વાતો ઘણી સૂક્ષ્મ છે તથા મોક્ષમાર્ગ દુર્ગમ છે. એટલે શાસ્ત્રોનો આધાર અનિવાર્ય છે. પરમપદ અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે શાસ્ત્રાભ્યાસ, શાસ્ત્રાનુસાર જીવન અનિવાર્ય છે. માસતુસ મુનિએ શાસ્ત્રાભ્યાસ નહોતો કર્યો તો પણ એમને કેવળજ્ઞાન થયું હતું. એટલે શાસ્ત્રોના અભ્યાસની કોઈ આવશ્યકતા નથી એમ કહેવું તેમાં અધૂરી સમજણ છે. મહાયોગીએ શાસ્ત્રની પરિણતિ માટે શું કરવું જોઈએ એ વિશે અહીં ચાર મહત્ત્વની વાત કરી છે. મુનિ મહારાજ કેવળ શાસ્ત્રની જ દષ્ટિ ધરાવનાર, શાસ્ત્રના જ્ઞાતા અને શાસ્ત્રાનુસાર ચારિત્રપાલન કરનાર અને શાસ્ત્રાનુસાર ઉપદેશ આપનાર હોવા જોઈએ. આમાં સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક ચારિત્રની એટલે કે રત્નત્રયીની આરાધનાની વાત ગૂંથી લીધી છે. મુનિ મહારાજ પાસે શાસ્ત્રની દૃષ્ટિ હોવી જોઈએ તે એટલા માટે કે ક્યારેક શાસ્ત્રસિદ્ધાન્ત, લોકાચાર અને પરંપરા વચ્ચે વિસંવાદ કે વિસંગતિ થાય ત્યારે મુનિરાજ શાસ્ત્રના આધારને જ સ્વીકારે. તેઓ શાસ્ત્રનું શરણું લે. મુનિ મહારાજ શાસ્ત્રના જ્ઞાતા હોવા જોઈએ, પરંતુ શાસ્ત્રમાં કેટલીક વખત સામાન્ય માણસોને ભિન્ન ભિન્ન વચનો જોવા-સાંભળવા મળે ત્યારે એને સ્યાદ્વાદ શૈલીથી સમજાવતાં આવડવું જોઈએ. શાસ્ત્રો તો સમુદ્ર જેવાં અગાધ છે. બધું વાંચી શકાતું નથી. પણ એક વખત તીર્થંકર પરમાત્માનો આશય પોતાના ચિત્તમાં સ્પષ્ટ હોય તો મૂળ માર્ગને વળગી રહેવામાં અડચણ આવતી નથી. મુનિ ભગવંતનું આચરણ શાસ્ત્રાનુસાર, જિનાજ્ઞાનુસાર હોવું જોઈએ. એમ ન થાય તો પરોપદેશે પાંડિત્યમ્ જેવું થાય. આચરણની મહેક જુદી છે. આચરણથી અંદરની પરિણતિ વિશુદ્ધ થાય છે અને વર્ષોલ્લાસ અનુભવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy