________________
૪૦૦
જ્ઞાનસાર
આ શ્લોક પરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી મહારાજે નીચેનો શ્લોક ટાંક્યો છેઃ
मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम्।।
तात्स्थ्यात् तदजनत्वाच्च समापत्तिः प्रकीर्तिता । [અભિજાત એટલે કે ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિઃસંશય સમાપત્તિ કહી છે.]
આમ, “સમાપત્તિ'નું અહીં ઉચ્ચ લક્ષણ બતાવવામાં આવ્યું છે. [૩૬] સાપરિચ તતઃ પુણ્યતીર્થર્મવન્યત: |
___ तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमाद् भवेत् ।।३०।।४।। [શબ્દાર્થ સાત્તિ =આપત્તિનો અહીં પારિભાષિક અર્થ છે ફળની પ્રાપ્તિ; વ=અને; તત:=ત્યાર પછી, તેથી (સમાપત્તિથી); પુખ્ય=પુણ્ય પ્રકૃત્તિરૂપ; તીર્થવૃત્
મૈતન્યત:=તીર્થકર નામકર્મના બંધથી; તદ્માવ=તે ભાવના, તીર્થકરપણાના ભાવના; મમુરત્વેન=અભિમુખપણાથી, સંપત્તિ:=આત્મિક સંપત્તિરૂપ ફળ; મા =ક્રમથી, અનુક્રમે; મવેzથાય.]
અનુવાદઃ તેથી (સમાપત્તિથી) પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મના બંધથી આપત્તિ અર્થાત્ ફળની પ્રાપ્તિ થાય છે અને તીર્થંકરપણાના અભિમુખપણાથી (ઉદય નજીક આવતાં) ક્રમશઃ સંપત્તિરૂપ ફળ થાય છે. (૪). | વિશેષાર્થ : તીર્થકર ભગવાનના પૂર્વ ભવ અને વર્તમાન ભવમાં ધ્યાનના વિષયમાં સમાપત્તિ પછી આપત્તિ અને સંપત્તિ નામની બે ઘટનાઓ અનુક્રમે બને
સમાપત્તિ એ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા છે. આપત્તિ અને સંપત્તિ એ બે સમાપત્તિનાં ફળ છે અને તે અનુક્રમે છે. સંપત્તિ શબ્દ સમજાય એવો છે. આપત્તિને ફળ તરીકે કેવી રીતે બતાવી શકાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org