SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૧ પણ અહીં “આપત્તિ' શબ્દ પારિભાષિક અર્થમાં વપરાયો છે. સંસ્કૃતમાં આપત્તિ શબ્દનો પ્રચલિત અર્થ છે મુશ્કેલી, કષ્ટ, તકલીફ, આફત, દુઃખ ઇત્યાદિ. પણ આપત્તિ' શબ્દનો બીજો અર્થ થાય છે “પ્રાપ્તિ', “કશુંક મેળવવું'. અહીં એ અર્થમાં શબ્દ પ્રયોજાયો છે. તીર્થકર ભગવાન પૂર્વ ભવમાં જે ધ્યાન ધરે છે તે સમાપત્તિના પ્રકારનું ઉત્કૃષ્ટ હોય છે. એને પરિણામે જ તીર્થકર નામકર્મ બંધાય છે. તે તે સમાપત્તિનું ફળ છે. એને “આપત્તિ' કહેવામાં આવે છે. તીર્થકર નામકર્મ પુણ્યપ્રકૃતિરૂપ છે. જે આત્મા આ પ્રકારનું નામકર્મ બાંધે તે તેના ઉદયે તીર્થકર ભગવાન બને અને ધર્મતીર્થની પ્રવર્તન કરે. તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને વિશ્વને ઉપકારક એવી ધર્મદેશના આપે. આઠ પ્રકારનાં કર્મોમાં નામકર્મ નામનું અઘાતિ કર્મ છે. એની ૧૦૩ ઉત્તર પ્રકૃતિ છે અર્થાત્ પ્રકારો છે. એમાં એક તે તીર્થકર નામકર્મ. જે જીવ એ નામકર્મ બાંધે તે ત્રીજા ભવે અવશ્ય તીર્થકર થાય. સમાપત્તિનું અનુક્રમે બીજું ફળ તે “સંપત્તિ છે. સંપત્તિ એટલે માલ-મિલકત, ઐશ્વર્ય. તીર્થકર નામકર્મ વિપાકોદયની અભિમુખ થાય અર્થાત્ નજીક આવે ત્યારથી તીર્થકર ભગવાનના જીવને પરમ ઐશ્વર્યરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમનો જીવ ઍવીને માતાની કુક્ષિમાં અવતરે ત્યારે ઇન્દ્રાદિ દેવો તેમની સ્તુતિ કરે છે અને તેમનું ચ્યવન કલ્યાણ ઊજવે છે. એ જીવ જ્યારે ગર્ભાવસ્થામાં આવે ત્યારે એમને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હોય છે. તેઓ જન્મે ત્યારે એમના ચાર અતિશય હોય છે અને એમનું જન્મકલ્યાણક ઉજવાય છે. દીક્ષા પહેલાં તેઓ વરસીદાન આપે છે. સ્વયંદીક્ષિત થાય ત્યારે પણ કલ્યાણક ઉજવાય છે અને તેમને મન:પર્યવજ્ઞાન થાય છે. આ બધી સંપત્તિ તેઓ કેવળજ્ઞાન પામી તીર્થંકર થાય તે પહેલાં એમને પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વ પ્રકારનાં ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પ્રકારનું ધ્યાન તે તીર્થંકર પરમાત્માએ પોતાના પૂર્વના ત્રીજા ભવે કરેલું હોય છે. એ ધ્યાનમાં સમાપતિ, આપત્તિ અને સંપત્તિ એ ત્રણ મુખ્ય લક્ષણ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy