________________
૪૦૨
જ્ઞાનસાર
[૨૩૭] રૂલ્ય ધ્યાનહનાન્ યુક્ત વિંશતિસ્થાનવાદ્યપિ !
कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ।।३०।।५।। [શબ્દાર્થ ઃ રૂā=એ પ્રમાણે; ધ્યાનના–ધ્યાનના ફળથી; યુક્ત યોગ્ય; વિંશતિસ્થાનાવિ વીશ સ્થાનક આદિ તપ; મ=પણ; 9માä=કષ્ટમાત્રરૂપ; તુ=તો; અમાનામપિ અભવ્યોને પણ; ન=નથી; કુર્તમં=દુર્લભ; મ=સંસારમાં.]
અનુવાદઃ આ પ્રમાણે ધ્યાનના ફળથી વિસ સ્થાનક આદિ તપ પણ ઘટે છે. કષ્ટમાત્રરૂ૫ (પ) તો સંસારમાં અભવ્યોને પણ દુર્લભ નથી. (૫)
વિશેષાર્થ : ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા રૂપ સમાપત્તિ કેટલી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચી શકે ? તો કહેવામાં આવ્યું છે કે એનાથી તીર્થકર નામકર્મ બાંધીને તીર્થંકર થઈ શકાય.
જે જીવે તીર્થંકરપદની પ્રાપ્તિ કરવી હોય એણે વીસ સ્થાનકની આરાધના કરવી જોઈએ. આ વીસ સ્થાનક નીચે પ્રમાણે છે:
(૧) તીર્થકર, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) ગુરુ, (૫) સ્થવિર, (૬) બહુશ્રુત, (૭) તપસ્વી, (૮) દર્શન, (૯) વિનય, (૧૦) આવશ્યક, (૧૧) શીલ, (૧૨) વ્રત, (૧૩) ક્ષણલવ સમાધિ, (૧૪) તપ સમાધિ, (૧૫) ત્યાગ (દ્રવ્યથી), (૧૬) ત્યાગ (ભાવથી), (૧૭) વૈયાવચ્ચ, (૧૮) અપૂર્વ જ્ઞાન ગ્રહણ, (૧૯) શ્રુતભક્તિ અને (૨૦) પ્રવચન પ્રભાવના. (આ ક્રમમાં અને નામમાં ક્યાંક ફરક જોવા મળે છે.)
કોઈ તીર્થકરનો જીવ આ વીસે વીસ સ્થાનકની આરાધના કરે અને કોઈ વીસમાંથી બે પાંચ કે વધારે કરે. એમાં સંખ્યાનો જો નિયમ હોય તો તે છે ઓછામાં ઓછા એક પદની આરાધના થવી જોઈએ. ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામીએ વીસવીસની આરાધના કરી હતી. બીજા તીર્થકરોએ એથી ઓછા સ્થાનકની આરાધના કરી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org