SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. ધ્યાનાષ્ટક ૪૦૩ વીસ સ્થાનકની આરાધના ઉપવાસાદિ અમુક તપશ્ચર્યા, અમુક માળા, અમુક કાઉસગ્ગ ઇત્યાદિથી થાય છે. આ દ્રવ્ય ક્રિયા છે. આની સાથે જે પદની આરાધના ચાલતી હોય તે પદનું ધ્યાન ધરાવું જોઈએ. જો ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપત્તિ તપશ્ચર્યા સાથે ન જોડાયેલી હોય તો તપશ્ચર્યા માત્ર દ્રવ્યક્રિયા બની રહે છે. ધ્યાન વગરની એવી વીસ સ્થાનકની આરાધના મોટું ફળ આપતી નથી. એ માત્ર કષ્ટ બની રહે છે. આવી કષ્ટરૂપ વીસ સ્થાનકની આરાધના તો અભવ્ય જીવોને પણ સુલભ છે. પણ તેવા જીવો અમુક કક્ષાથી ઊંચે ચઢી શકતા નથી અને અભિવ્ય જીવ તીર્થકર તો ક્યારેય બની શકે નહિ. માટે વીસ સ્થાનકની આરાધના ધ્યાન સાથે કરવી જોઈએ અને એમાં પણ તે સમાપત્તિ સુધી પહોંચવું જોઈએ. કોઈ એમ પ્રશ્ન કરે કે વીસ સ્થાનકની તપશ્ચર્યા બરાબર સારી રીતે થાય છે, પણ ધ્યાન ધરવાનું થતું નથી તો શું આરાધના માત્ર કષ્ટરૂપ હોવાથી છોડી દેવી? એનો ઉત્તર એ છે કે એમ ઉતાવળે આરાધના છોડી દેવાનું યોગ્ય નથી. એમ કરવાથી બેય બગડે છે. એટલે આરાધના કરનારે મહાત્માના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે ધ્યાન ધરતા થવું જોઈએ. એમ કરતાં કરતાં દ્રવ્ય આરાધના સાથે ધ્યાનમાં આગળ વધી શકાય છે. [૨૩૮] નિષ્ક્રિય થીરી પ્રશાન્તય સ્થિભિન:. ___ सुखासनस्थस्य नासाग्रन्यस्तनेत्रस्य योगिनः ।।३०।।६।। [શબ્દાર્થ : નિતેન્દ્રિયસ્થ=જેણે ઇન્દ્રિયો જીતી છે; ધીરણ્ય=ધર્યવાળા; પ્રશનિતસ્વ=પ્રશાન્ત એવા; રાત્મન =જેનો આત્મા સ્થિર છે, ચંચલતારહિત છે; સુરવાસનસ્થJ=સુખાસને રહેલા; નાસી =નાસિકાના અગ્ર ભાગમાં; ચત= સ્થાપેલાં, નેત્ર=જેણે નેત્ર-લોચન સ્થાપેલાં છે; યોનિ:=યોગી.] અનુવાદઃ જે જિતેન્દ્રિય છે, ઘર છે, પ્રશાન છે, જેનો આત્મા સ્થિર છે, જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy