________________
૩૦. ધ્યાનાષ્ટક
૩૯૯
મવે=હોય; ધ્યાના–ધ્યાનથી; મારાત્મનિ=અંતરાત્મામાં નિર્મલે નિર્મળ, શુદ્ધ.]
અનુવાદ ક્ષણ વૃત્તિવાળા નિર્મળ અંતરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું મણિની જેમ પ્રતિબિંબ પડે તે સમાપત્તિ છે. (૩)
વિશેષાર્થ: સમાપત્તિને સમજાવવા માટે અહીં મણિ એટલે કે રત્નનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેમ અત્યંત નિર્મળ, સ્ફટિક જેવું હોય તો તેમાં પાસે રહેલા અન્ય પદાર્થનું એવું પ્રતિબિંબ પડે છે કે રત્નને બદલે તે પદાર્થ હોય એવો ભાસ થાય. માણસને ખ્યાલ ન આવે કે આ સ્ફટિક રત્ન છે. તેવી રીતે ધ્યાન દ્વારા અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે તો તેને સમાપત્તિ કહેવામાં આવે છે.
આવા પ્રતિબિંબ વખતે મણિ અત્યંત નિર્મળ જોઈએ. એ પ્રમાણે અંતરાત્મા પણ અત્યંત નિર્મળ જોઇએ. રાગદ્વેષ, કષાયો, પરાશ્રયરૂપી વૃત્તિઓ તથા વિકલ્પો ઇત્યાદિ રૂપી મળ અથવા કચરો નીકળી ગયો હોય તો અંતરાત્મા સ્ફટિક જેવો નિર્મળ બને છે.
સ્ફટિક અત્યંત નિર્મળ હોય છે પણ જે વસ્તુનું પ્રતિબિંબ પડવું જોઈએ તે વસ્તુ પાસે ન હોય તો પણ તેમાં પ્રતિબિંબ ન પડે. એટલે વસ્તુ પાસે હોવી જોઈએ. વસ્તુનો સંસર્ગ થવો જોઈએ. વસ્તુના સંસર્ગથી પ્રતિબિંબ સ્વચ્છ અને આબેહૂબ પડે છે. જોનારને જો એમ લાગે કે આ તે મણિ છે અને એમાં બાજુની વસ્તુનું પ્રતિબિંબ પડ્યું છે, તો સ્થિતિ હજુ અપૂર્ણ છે. જોનારને આ પ્રતિબિંબ પડ્યું છે એવું લાગવું જ ન જોઈએ. પ્રતિબિંબ એવું પડવું જોઈએ કે માણસ ભૂલાવામાં પડી જાય કે આ મણિ નથી પણ તે વસ્તુ છે. પ્રતિબિંબ એવું અસલ હોવું જોઈએ. એટલે કે અભેદ થવો જોઈએ. તેવી રીતે નિર્મળ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ એવું પડવું જોઇએ કે જેથી ધ્યાનાવસ્થામાં અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ સ્થપાય.
આમ, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં જ્યારે એકતા હોય ત્યારે તેને સમાપત્તિ કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org