________________
૪. મોહત્યાગાષ્ટક
૫૯
[૩૦] નિર્મનં ટિસ્થવ સહર્ષ સ્વપમત્મિનઃ |
૩અધ્યક્તોપાળસંવન્યો પત્ર વિમુઢાતિ . ૪ ૫ ૬ , [શબ્દાર્થઃ નિર્મનં નિર્મળ, મેલરહિત; ટિસ્થ સ્ફટિકના; વ=જેવું; સગં=સહજ, સ્વાભાવિક રૂપ વરૂપ; માત્મા =આત્માનું; મધ્યસ્ત આરોપ્યો છે; ૩પથસંવંધ:=ઉપાધિરૂપ સંબંધ; નડ:=જડ, અવિવેકી; તત્ર=તેમાં; વિમુક્ષ્યતિ=મૂંઝાય છે.]
અનુવાદ-આત્માનું સહજ સ્વરૂપ સ્ફટિકના જેવું નિર્મળ છે. મૂઢ જીવ એમાં ઉપાધિના સંબંધનો આરોપ કરીને મૂંઝાય છે. (૬).
વિશેષાર્થઃ કિંમતી પથ્થરોમાં સ્ફટિકની ખાસિયત જુદી જ છે. તેને ઘસીને લીસો, સુશોભિત બનાવવામાં આવે તો તે પારદર્શક બને છે. સ્ફટિક નિર્મળ છે, નિર્દોષ છે, ઉપાધિરહિત છે. પરંતુ સ્ફટિકની પાછળ જો ફૂલ, કાગળ કે એવી કંઈક રંગીન ચીજવસ્તુ મૂકવામાં આવે, તો સ્ફટિક તેવા રંગનો દેખાય છે. જોનારને જો કહેવામાં ન આવે તો અજાણ્યો માણસ એમ જ કહેશે કે આ પથ્થરનો રંગ લાલ છે, ઈત્યાદિ. પણ એની નજર સામે જ પાછળની વસ્તુ ખસેડી લેવામાં આવે તો એને દેખાશે કે સ્ફટિક તો તદ્દન નિર્મળ છે.
જ્યાં સુધી સ્ફટિક ઉપાધિસહિત છે ત્યાં સુધી એનું સ્વરૂપ એવું ઉપાધિરૂપ દેખાવાનું. જોનાર કે અનુભવનારને એવો ભ્રમ રહેવાનો. તે મૂંઝવણ અનુભવવાનો. એમ થવાનું કારણ જોનારમાં સ્ફટિક અને ઉપાધિ વચ્ચેનો ભેદ પારખવાની વિવેકશક્તિ નથી. જો તે સ્ફટિકના સ્વરૂપનો જાણકાર હોય તો તરત જ એની વિવેકશક્તિ એને સમજાવે છે કે સ્ફટિક પોતે તો નિર્મળ, વિશુદ્ધ, દોષરહિત, ઉપાધિરહિત છે. જેમ સ્ફટિકના વિષયમાં તેમ આત્માના વિષયમાં બને છે. જ્યાં સુધી જીવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org