________________
૬૦
વસ્તુસ્વરૂપનું જ્ઞાન નથી, જ્યાં સુધી મોહદૃષ્ટિ છે ત્યાં સુધી તે આત્મદ્રવ્ય સાથે એકરૂપ દેખાતાં પુદ્ગલ દ્રવ્યને કારણે આત્માને એવો જ માને છે. નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ દેહ પ્રમાણે તે પોતાને પણ, હું ગોરો છું, હું કાળો છું, હું ઊંચો છું, હું નીચો છું, હું વિકલેન્દ્રિય છું, હું પંચેન્દ્રિય છું, ઈત્યાદિ માને છે. તેવી રીતે અન્યને માટે પણ એ એમ જ ધારે છે. તત્ત્વદૃષ્ટિ અને વિવેકના અભાવને કા૨ણે તે આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યને અભિન્ન માને છે. પરંતુ જેમ રત્નના પારખુ એવા ઝવેરીને ખાણમાંથી નીકળેલું રત્ન માટીવાળું, આવરણવાળું, મલિન, ખરબચડું હોવા છતાં તેનું મૂલ્ય તે તરત સમજી જાય છે, તેમ તત્ત્વદષ્ટિવાળા જ્ઞાની મહાત્માઓ જીવના ઉપાધિયુક્ત બાહ્ય દેખાવથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપને પારખી લે છે.
સંસારમાં મોટા ભાગના જીવો બાહ્ય દૃશ્યમાન પરભાવમાં આત્મભાવનું આરોપણ કરે છે અને મિથ્યાત્વને કારણે તેઓ તેમાં સુખદુઃખ માને છે, પણ એવું સુખદુઃખ સાચું નથી, મિથ્યા છે. જ્ઞાની મહાત્માઓ દેહની અંદર રહેલા જ્યોતિરૂપ શુદ્ધ, પૂર્ણાનંદસ્વરૂપ, સ્વાભાવિક, આનંદઘનરૂપ આત્મદ્રવ્યને નિહાળે છે અને સંસર્ગથી ઉપાધિદોષ હોવા છતાં તેને પદ્રવ્યથી ભિન્ન માને છે.
[૩૧] નારોપમુદ્ધ મોહત્યાાનનુભવત્તિ ।
જ્ઞાનસાર
आरोपप्रियलोकेषु वक्तुमाश्चर्यवान् भवेत् ।। ४ ।। ७ ।।
[શબ્દાર્થઃ અનારોપ=આરોપ વગરનું, સહજ; સુવં=સુખ; મોહત્યા=મોહનો ત્યાગ કરવાથી; અનુભવન્=અનુભવતો; અવિ=પણ; આરોપપ્રિય:=જેને આરોપ, અસત્ય પ્રિય છે; તોğ=લોકોમાં; વસ્તુ=કહેવાને; આશ્ચર્યવાન=આશ્ચર્યવાળા; મવેત્ થાય છે.]
અનુવાદ–મોહના ત્યાગથી આરોપરહિત (સહજ) સુખ અનુભવતા હોવા છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org