________________
૪. મોહત્યાગાષ્ટક
જ્ઞાની-મહાત્મા, આરોપિત (અસત્ય) સુખ જે મને પ્રિય છે એવા લોકોને એ (સુખાનુભવ) વિશે કહેતાં જોઈને આશ્ચર્યવાળા થાય છે. (૭) વિશેષાર્થ સુખદુઃખની વ્યાખ્યા સંસારી જીવોની દૃષ્ટિએ અને જ્ઞાની-મહાત્માની દૃષ્ટિએ જુદી જુદી હોય છે. સંસારી જીવો હંમેશા બહુમતીમાં અને જ્ઞાનીઓ હંમેશાં લઘુમતીમાં રહેવાના. કોનું સુખ સાચું ? સંસારીઓ કહેશે કે તેઓનું સુખ સાચું છે. જ્ઞાની કહેશે કે પોતે અનુભવેલું આત્મસુખ સાચું છે. સંસારી જીવોને એક જ પ્રકારના સુખનો અનુભવ છે. જ્ઞાનીને બંને પ્રકારનાં સુખનો અનુભવ છે એટલે તેઓ એવા નિષ્કર્ષ પર આવેલા હોય છે કે સંસારીનું સુખ તે આરોપિત સુખ છે, મિથ્યા ભ્રાન્તિવાળું સુખ છે અને પોતાનું સુખ અનારોપિત છે.
કોઈપણ જીવને આત્મિક સુખનો અનુભવ એ જ્યારે વિચાર કરે કે તરત થાય એવું નથી. ચરમાવર્તમાં આવેલા ભવ્ય જીવને ભારે પાપ કરવાં ગમતાં નથી. ઇન્ટિયાર્થ ભોગવિલાસ કરતાં પણ કશુંક ચડિયાતું સુખ છે એવો એને ભાસ થાય છે અને એમ ઉત્તરોત્તર આગળ વધતાં, મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં આત્મિક સુખ જેવું કંઈક છે એવી પ્રતીતિ થાય છે. બાહ્ય પદાર્થોમાં એની સુખબુદ્ધિ ઓછી થતી જાય છે. સંસારનું સુખ એને આરોપિત સુખ જણાય છે. એમ કરતાં ઉપશમભાવના સુખનો અને અનુભવ થાય છે અને એની દિશા બદલાઈ જાય છે. આત્માના સહજ જ્ઞાનમય રૂપ સુખનું એને જ્યારે સંવેદન થાય છે ત્યારે એ અનુભવજન્ય પ્રતીતિ એને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
આત્મિક સુખનો અનુભવ કરનાર આવા કોઈ જ્ઞાની મહાત્માને પોતાના સુખની વાત સંસારનાં સુખને જ સર્વસ્વ માનવાવાળા જીવો આગળ કરવાનું ગમતું નથી. સંસારી જીવો એવી વાતનો ઉપહાસ જ કરવાના. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવે વખતે આશ્ચર્યવાન બને છે અર્થાત્ એમને અયોગ્ય પાત્ર આગળ આવી વાત કરવાનું નિરર્થક લાગે છે. એમને થાય છે કે આવા પૌગલિક સુખમાં મગ્ન એવા જીવો સમક્ષ આત્મજ્ઞાન અને સ્વરૂપરમણતાના સુખની વાત તો ભેંસ આગળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org