________________
૬
૨.
જ્ઞાનસાર
ભાગવત બરાબર થશે.
સંસારી જીવોનું સુખ જ્ઞાનીને માત્ર શાતાવેદનીયના ઉદયરૂપ, કર્મજન્ય અવસ્થારૂપ ભાસે છે, એ સાચું સુખ નથી, પણ વસ્તુતઃ દુઃખ જ છે એમ તેઓ સમજે છે. અલબત્ત, સંસારી જીવો આવા સાચા સુખના સાચા સ્વરૂપને ન સમજે એથી જ્ઞાની ઉદાસ, ઉદ્વિગ્ન કે આક્રોશવાળા થતા નથી, પણ ભવસ્થિતિ આવી જ હોય છે એમ સમજીને તેઓ કરુણાદિ ભાવના સેવે છે. અનંત કાળે પણ આવી જ પરિસ્થિતિ રહેવાની એમ તેઓ સમજે છે. [૩૨] –વિસ્તક્ષમતાવારંવાથી: I
क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ।। ४ ।। ८ ।। [શબ્દાર્થ =જે; વિ =ચિત્ (જ્ઞાન) રૂપી દર્પણ વિચસ્ત:=સ્થાપન થયેલ; સમસ્ત =સમસ્ત, સમગ્રસાવરવાથી =આચારવડે સુંદર બુદ્ધિવાળા વેવ નામ શા માટે; સ =તે; પરદ્રવ્ય પદ્રવ્યમાં, પુદ્ગલ દ્રવ્યમાં; અનુપયોનિ=અનુપયોગી, ઉપયોગ રહિત, કામ ન લાગે એવી; મુક્ષ્યતિ=મૂંઝાય, મોહ પામે.]
અનુવાદજે જ્ઞાનરૂપી દર્પણમાં સ્થાપન કરેલા સમસ્ત આચાર વડે સુંદર બુદ્ધિવાળો છે તે ઉપયોગમાં ન આવે એવા પરદ્રવ્યને વિશે શા માટે મૂંઝાય? (૮)
વિશેષાર્થ : અહીં દર્પણમાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાની ક્રિયા માટે રૂપક પ્રયોજવામાં આવ્યું છે. સંસારી જીવો કાચના દર્પણમાં પોતાના સ્થૂલ પ્રતિબિંબને નિહાળે છે. જ્ઞાની મહાત્માઓ પોતાના જ્ઞાનરૂપી અરીસામાં પોતાના જ્ઞાનાચાર વગેરે આચારોનું સૂક્ષ્મ પ્રતિબિંબ નિહાળે છે. સંસારી જીવને અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાનું ગમે છે. એમાં જોઈને તે પોતાનાં સૌન્દર્યની, રૂપલાવણ્યની વૃદ્ધિ માટે વધુ પ્રયાસો કરે છે. દર્પણમાં જોવાથી પોતાનામાં ક્યાં ત્રુટિ છે તેનો ખ્યાલ આવે છે અને એ નિવારવાનો તે પ્રયાસ કરે છે. પરંતુ સંસારીનું દર્પણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org