SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. મોહત્યાગાષ્ટક પડેલું પોતાના ચહેરાનું પ્રતિબિંબ ઉંમર વધતાં પ્લાન, કરચલીઓવાળું દેખાય છે. જ્ઞાની મહાત્માઓને પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં જ્ઞાનાચાર વગેરે આચારોનું ઉત્તરોત્તર વધુ સુંદર, ઉજ્જવળ પ્રતિબિંબ દેખાય છે. સંસારીનું પ્રતિબિંબ સ્થૂળ છે, જ્ઞાનીનું પ્રતિબિંબ સૂક્ષ્મ છે. સંસારી માણસ ગમે તેવો કદરૂપો હોય તો પણ તેને પોતાનું પ્રતિબિંબ જોવું ગમે છે. પોતાની કદરૂપતા દૂર કરવા અને સુંદરતા વધારવા તે બાહ્ય ભૌતિક પદાર્થોનો આશ્રય લે છે. ક્યારેક મોંઘાદાટ પદાર્થો તે ખરીદે છે અને ઉપચારો કરાવે છે. જ્ઞાની મહાત્માને પોતાના પ્રતિબિંબને સુધારવા, વધુ સુંદર કરવા બાહ્ય ઉપચારોની આવશ્યકતા હોતી નથી. તેઓનો પુરુષાર્થ અંતરંગ સુધારા માટે હોય છે. જૈન દર્શન પ્રમાણે મુખ્ય પાંચ આચાર છેઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ અંતરંગ દેહના અવયવો છે. જ્ઞાની મહાત્મા જ્યારે પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં પોતાના આચારરૂપી પ્રતિબિંબને નિહાળે છે ત્યારે તેઓ હર્ષોલ્લાસ અનુભવે છે. ત્યારે તેઓને ભૌતિક સાંસારિક પ્રતિબિંબ અને પદાર્થો ફિક્કા લાગે છે. એથી એ પ્રત્યેની તેઓની આસક્તિ નીકળી જાય છે. આ બાહ્ય પદાર્થો તેઓને અનુપયોગી અર્થાત્ કોઈપણ રીતે કામ ન લાગે એવા નિરર્થક લાગે છે. મિથ્યાદષ્ટિ, અસંયમી, તત્ત્વજ્ઞાનથી રહિત, આત્માનુભવથી વંચિત એવા સંસારી આત્માઓને પરદ્રવ્યમાં જે સુખ ભાસે છે તે વસ્તુતઃ તેમની ભ્રાન્તિ છે. જ્યાં સુધી સ્વરૂપરમણતાનું સુખ તેઓએ ચાખ્યું નથી હોતું ત્યાં સુધી તેઓ આવી ભ્રમણામાં જ રહેવાના. એક વખત આત્મસ્વરૂપનો આનંદ ચાખ્યા પછી પરદ્રવ્યનો સંબંધ તેઓને અશુચિમય લાગવાનો. તેઓની તે માટેની આસક્તિ અનુક્રમે નીકળી જવાની. એ દિશાનો એટલે કે મોહના ત્યાગનો પુરુષાર્થ એ જ સાચો પુરુષાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy