________________
જ્ઞાનસાર
૫. જ્ઞાનાષ્ટક [૩૩] મન્નત્યજ્ઞ: વિનાજ્ઞાને વિષ્ટાયામિવ શૂર: |
જ્ઞાની નિમતિ જ્ઞાને મ+ાન રૂઢ માનસે | ૨ [શબ્દાર્થ: મન્નતિ ડૂબકી મારે છેઃ મગ્ન થાય છે; અજ્ઞા=અજ્ઞાની; તિ=ખરેખર; અજ્ઞાને અજ્ઞાનમાં, વિષ્ટીયા=વિષ્ટામાં, અશુચિમાં; ફુવ=જેમ; શૂર:=ભૂંડ, ડુક્કર; જ્ઞાની= જ્ઞાની, નિમન્નતિ–નિમગ્ન થાય છે; જ્ઞાને=જ્ઞાનમાં, મરી =હંસ;
=જેમ; માન=માનસરોવરમાં.]
અનુવાદ-જેમ ભૂંડ વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની જ્ઞાનમાં નિમગ્ન થાય છે. (૧)
વિશેષાર્થ: મોહના ત્યાગ વિના આત્મજ્ઞાન નથી. સંસારી અજ્ઞાની જીવો અને આત્મજ્ઞાની મહાત્માઓ વચ્ચે કેટલો મોટો તફાવત છે એ સમજાવવા અહીં શૂકર એટલે કે ડુક્કરનું અને માનસરોવરના મરાલ એટલે કે હંસનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. કાળુ ભૂખરું ડુક્કર વિષ્ટામાં, કાદવમાં, ગંદકીમાં આળોટે છે, રહે છે અને કચરામાંથી પોતાનો આહાર લે છે. દુનિયામાં ગંદકીનું ક્ષેત્ર વ્યાપક છે અને ડુક્કરો એમાં ભમતાં હોય છે. તેમનામાં સારાસારનો વિવેક હોતો નથી. તેઓ હલકી વસ્તુમાં રાચે છે. હંસોમાં પણ જે માનસરોવરના હંસો હોય છે તે કોઈપણ જાતના ડાઘ વગરના, શ્વેત, ઉજ્જવળ હોય છે. તેમનામાં નીરક્ષીરનો વિવેક હોય છે. તેમની આગળ દૂધ અને પાણી ભેગું કરીને આપ્યાં હોય તો તે પોતાની ચાંચથી દૂધ પી જશે અને પાણી પડ્યું રહેશે. તેમનામાં સારાસારની વિવેકશક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org