________________
૫. જ્ઞાનાષ્ટક
હોય છે. આત્મજ્ઞાની મહાત્મા આવા હંસ જેવા હોય છે. દુનિયામાં જેમ ડુક્કરો અનેક હોય છે અને હંસ થોડા હોય છે તેમ અજ્ઞાનીઓ ઘણા હોય છે અને જ્ઞાનીઓ થોડા હોય છે.
શાસ્ત્રજ્ઞાનીઓમાં પણ જે શાસ્ત્રોનો અભ્યાસ કરવાવાળા હોય છે, પરંતુ જેમની સંસાર પ્રત્યે ઉદાસીનતા પ્રગટી નથી, જેઓ સંસારના પ્રવાહમાં ખેંચાઈ જાય છે એવા જ્ઞાનીઓ કરતાં પણ જેઓ સંસાર પ્રત્યે ઉદાસીન છે, ભૌતિક પદાર્થોમાં રાચતા નથી, વિષયકષાયથી વિમુખ છે અને તત્ત્વસંવેદનરૂપ આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરે છે અથવા પ્રાપ્ત કર્યું છે એવા આત્મજ્ઞાનીઓ અલ્પ સંખ્યામાં હોય છે.
સંસારમાં ચારે બાજુ ભોગોપભોગની જ વાતો થતી હોય છે. મોટા ભાગના જીવો બહિર્મુખ છે. તેમના રસ અને આનંદના વિષયો અને પ્રવૃત્તિઓ અર્થોપાર્જન, સુખસગવડનાં સાધનો, ધનવૈભવ, કામભોગ ઇત્યાદિનાં હોય છે. આત્મજ્ઞાની દેહધારી છે, સંસારમાં રહે છે અને ચારે બાજુથી ભોગોપભોગની પ્રવૃત્તિઓથી ઘેરાયેલા છે તેમ છતાં તેઓ હંસની જેમ વિચરે છે. તેઓ એવી વાતોથી, પ્રવૃત્તિઓથી લેપાતા નથી. તેઓ એમાં આસક્ત બનતા નથી. [૩૪] નિર્વાણપત્રમાણે માવ્યતે યમુહુર્મુહુઃ
તવ જ્ઞાનમુત્કૃષ્ટ નિર્વજો નાતિ મૂયરી || ૧ | ૨ | [શબ્દાર્થઃ નિર્વાણપદં=મોક્ષપદ; પ=પણ; પર્વ=એક; માવ્યતે=ભાવન થાય છે, વિચારાય છે; =જે; મુહુ =વારંવાર; તવ=તે જ; જ્ઞાનમન્ત્રજ્ઞાન; ૩ષ્ટ–ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ, નિર્જન્ય: આગ્રહ; નાસ્તિ=નથી; મૂયસા=ઘણા (જ્ઞાન) વડે, બહુ માટે.] અનુવાદ-કોઈ પણ એક મોક્ષપદનું ભાવન વારંવાર કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org