SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર છે. ઘણા માટે બહુ ગ્રંથો ભણવા માટે) આગ્રહ નથી. (૨) વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે સાધકને માટે એક અત્યંત મહત્ત્વની વાત અહીં કરી છે. સાધક સાચો મોક્ષાર્થી હોય તો મોક્ષપ્રાપ્તિ માટે એમણે એક સરસ ચાવી અહીં બતાવી છે. સાંસારિક જ્ઞાનની તો અનેક વિદ્યાઓ હોય છે અને વિષયો હોય છે અને તે તે વિષયમાં વખતોવખત નવાં નવાં સંશોધનો થાય છે અને નવા નવા ગ્રંથો પ્રકાશિત થતા રહે છે.એન્જિનિયરિંગ હોય, તબીબી વિજ્ઞાન હોય, ઇલેકટ્રોનિક્સ હોય, કમ્યુટર હોય-આજની વાત આવતી કાલે કાલગ્રસ્ત થઈ જાય છે. સો વર્ષ પહેલાં લશ્કરના જવાનોને જે જાતનાં શસ્ત્રો અપાતાં હતાં અને યુદ્ધ નીતિ શીખવવામાં આવતી હતી તે આજે હવે ન ચાલે. સમય ઝડપથી બદલાય છે અને તેની સાથે સાધનો અને શૈલી બદલાતાં જાય છે. માણસે યુવાનીમાં જે કંઈ વ્યવહારું જ્ઞાન મેળવ્યું હોય તો તે એની પાછલી જિંદગીમાં કદાચ કામ લાગે તો લાગે. પરંતુ અધ્યાત્મ ક્ષેત્રની વાત જુદી છે. દેહ અને આત્મા વિશે હજારો-લાખો વર્ષ પૂર્વે તીર્થંકર ભગવાને, ગણધર ભગવંતોએ જે કંઈ કહ્યું છે તેમાં ફરક પડવાનો નથી. સર્વ જીવોનું એક જ લક્ષ્ય છે, અને તે છે સંસારમાંથી મુક્તિ અર્થાત્ નિર્વાણ પ્રાપ્તિ. સાધના પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે, કોઈ એક વાત પર વધુ કે ઓછો ભાર મૂકવામાં આવે, ક્યાંક મતાન્તર પણ થાય. પરંતુ સંસારમુક્તિના લક્ષ્યમાં ફેરફાર ન જ હોઈ શકે. પૂર્વાચાર્યોએ આત્મશુદ્ધિ માટે, કર્મક્ષય માટે, ગુણસ્થાનના ક્રમારોહણ માટે, પદ્રવ્ય અને નવ તત્ત્વની સમજણ માટે જે જે અભુત ગ્રંથો લખ્યા છે એના સ્વાધ્યાય અને પરિશીલનથી જ્ઞાનપ્રકાશ વધતો જાય છે અને શ્રદ્ધા દઢ થતી જાય છે. જીવને અનેક રીતે આ બધી તત્ત્વચર્ચા ઉપયોગી છે. પૂર્વાચાર્યોએ જે કોઈ ગ્રંથો લખ્યા છે તેનો અનાદર ન થઈ શકે. પરંતુ એક જ જિંદગીમાં આ બધા ગ્રંથો વાંચી શકાતા નથી. વળી જે માણસો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy