________________
૫. જ્ઞાનાષ્ટક
જીવનની ઉત્તરાવસ્થામાં ધર્મમાર્ગ તરફ વળ્યા હોય તેઓ તો ઇચ્છે તો પણ શેષ જીવનમાં મહત્ત્વના બધા ગ્રંથોનો અભ્યાસ પૂરો ન કરી શકે. વળી કેટલાક મહાત્માઓની સ્મૃતિ, બુદ્ધિ શક્તિ ઇત્યાદિ ઓછાં પણ હોય. તો શું તેઓનું ધર્મમાર્ગે વળવું વ્યર્થ ગણાય ? ના, તેઓને માટે પણ શાસ્ત્રકારોએ ઉપાયો બતાવ્યા છે. ચૌદ પૂર્વધર મહાત્માઓ વૃદ્ધાવસ્થામાં જ્યારે સ્મૃતિ બહુ ઘસાઈ જાય અને પૂર્વોનું જ્ઞાન વિસ્તૃત થવા માંડે ત્યારે તેઓ એક નવકારમંત્રનું રટણ, સ્મરણ, ભાવન અહોરાત્ર કરતા રહે છે.
૬૭
કોઇક મહાવ્રતધારી મહાત્માની બુદ્ધિશક્તિ મંદ હોય તો તેથી કંઈ બાજી હારી જવાતી નથી. આપણે ત્યાં શ્રી માતુષ મુનિનું દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. ‘મા રુષ, મા તુષ’ (રાગ ન કર અને દ્વેષ ન ક૨) એ બે પદોનું ભાવન કરતાં કરતાં કેવળજ્ઞાન પામી નિર્વાણ પદ એમણે પ્રાપ્ત કર્યું હતું.
એટલે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ઘાતી કર્મોનો ક્ષય કરાવે એવા કોઈ એક જ પદનું આત્મામાં તન્મય થઈને વારંવા૨ ભાવન કરવું, સ્વરૂપમાં એકત્વનો અનુભવ કરવો, આત્મસુખનો અનુભવ કરવો એનું મહત્ત્વ સવિશેષ છે. કેવળ હકીકતોના સંગ્રહરૂપ કે વાણીના વિસ્તારરૂપ જે જ્ઞાન છે તેનો બહુ આગ્રહ નથી.
આત્માની અંદરની પરિણતિ વગરનું શાસ્ત્રજ્ઞાન તો માત્ર શુકપાઠ જેવું થઈ જાય, પરંતુ જો કોઈ એમ કહે કે શાસ્ત્રજ્ઞાન નિરર્થક છે, અનાવશ્યક છે તો તે બરાબર નથી. આત્મજ્ઞાન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય એ સમજવા માટે પણ શાસ્ત્રજ્ઞાનની ઉપકારકતા છે. વસ્તુતઃ જે કંઈ શાસ્ત્રાભ્યાસ કર્યો હોય તેમાંથી પોતાની રુચિશક્તિ અનુસાર પોતાને પ્રિય એવું એકાદ પદનું, કોઈ પંક્તિનું, એકાદ તત્ત્વવિચારનું, એકાદ સ્તવન-સજ્ઝાયનું એવી રીતે ઉલ્લાસપૂર્વક પરિશીલન, ભાવન, ઘોલન થવું જોઈએ કે જેથી તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો વગેરે પ્રત્યેના બહુમાનપૂર્વક રાગદ્વેષાદિ કષાયોની મંદતા સાથે, ઘાતિ કર્મોનો ક્ષય થતો રહેવો જોઈએ. આ રીતે એકાદ પદનું વારંવા૨ ભાવન પણ નિર્વાણસાધક થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org