________________
૬૮
[૩૫] સ્વાવલામ–સંાનારાં જ્ઞાનમિત્તે । ध्यान्ध्यमात्रमतस्त्वन्यत् तथा चोक्तं महात्मना ।। ५ ।। ३ ।। [શબ્દાર્થઃ સ્વમાવતામ=સ્વભાવની(સ્વસ્વરૂપની) પ્રાપ્તિ; સંસ્કાર ારö=સંસ્કારનું કારણ; જ્ઞાનં=જ્ઞાન; દૃષ્યતે–ઇચ્છાય છે, ઇચ્છા રખાય છે; ધ્યાö=બુદ્ધિનું આંધળાપણું; માત્ર=માત્ર; અત:=એથી; તુ=વળી; અન્યત્=બીજું; તથા=તે પ્રમાણે; ==અને; સ્તં=કહ્યું છે; મહાત્મના=મહાત્માએ, મહાપુરુષોએ.
જ્ઞાનસાર
અનુવાદ-આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ બને એવું જ્ઞાન ઇષ્ટ છે, તે સિવાયનું બીજું (જ્ઞાન) માત્ર બુદ્ધિનું અંધત્વ છે. તે જ પ્રમાણે મહાત્માઓએ પણ કહ્યું છે. (૩)
વિશેષાર્થ : ‘જે જ્ઞાન જીવને સ્વભાવનો લાભ કરાવે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે લગની લગાડે, રાત-દિવસ એના જ વિચારોમાં મગ્ન રાખે એવું જ્ઞાન અમે ઇચ્છીએ છીએ.’ આવું સાધકોને લાગવું જોઈએ, કારણ કે એથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે અને મોક્ષમાર્ગ ઉપર આગળ પ્રયાણ થાય છે.
જે જ્ઞાનના અભ્યાસથી પુદ્ગલાનંદી બનાય, વિષયકષાયની પ્રવૃત્તિઓમાં રસ પડે એવું જ્ઞાન તો જીવને આત્મસ્વભાવથી વિમુખ કરનાર થાય છે. દૃષ્ટિવિહીન બનાવનાર એવા વૈભાવિક જ્ઞાનની સાધકને ઇચ્છા ન થવી જોઇએ. જે જ્ઞાન માત્ર વાણીના વિલાસરૂપ હોય, જે સ્વ-૫૨નો વિવેક ન કરાવતું હોય, જે પરપદાર્થનો ત્યાગ કરવાની ભાવના ન પ્રેરતું હોય, જે ચિત્તમાં વિકલ્પો અને વ્યગ્રતા જગાડતું હોય, જે આહારાદિ સંજ્ઞાઓને પોષતું હોય, જે ત્યાગવૈરાગ્યરૂપી સંયમ તરફ ન દોરી જતું હોય એવા બાહ્ય જ્ઞાનને બુદ્ધિના અંધપણા તરીકે ઓળખાવવામાં આવે છે.
ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં વતં મહત્વના એવા શબ્દો મૂકીને યોગસૂત્રના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org