________________
૫. જ્ઞાનાષ્ટક
રચયિતા મહર્ષિ પતંજલિનો સાક્ષીપાઠ આપ્યો છે.
વળી શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું છે કે અત્યાસંયોં ના સુમાડુિત્રવિયં અર્થાત્ અસંયમ માટે જેને જુગુપ્સા ન હોય એટલે કે સંયમ માટે જેમને પ્રેમ ન હોય એવી વ્યક્તિનું શ્રુતજ્ઞાન તે શુકપાઠ જેવું જાણવું.
એક વખત આત્મજ્ઞાનની મસ્તી લાગે છે, સ્વસ્વરૂપમાં રમણ કરવાનું થાય છે પછી સાંસારિક બાબતોમાં રસ પડતો નથી. સાંસારિક બાહ્ય ઉપાધિઓ પ્રત્યે ઉદાસીન થઈ જવાય છે. પછી તે ઉપાધિરૂપ લાગતી નથી. પરીષહો અને ઉપસર્ગો સહજ ભાવે સહી લેવાય છે. એ તરફ લક્ષ જતું નથી. આવા ઉપસર્ગો સહન કરનાર મહાત્માઓના એવા અનેક દૃષ્ટાન્તો આપણને જાણવા મળે છે. એટલા માટે આત્મજ્ઞાન તરફ વળવું જોઈએ. કહ્યું છેઃ
आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते ।
अभ्यस्तं तत् तथा तेन येनात्मा ज्ञानमयो भवेत् ।। [આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્માના જ્ઞાનથી નાશ પામે છે. તેથી આત્મજ્ઞાનનો એ રીતે અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી આત્મા જ્ઞાનમય થાય.]
स्वल्पज्ञानेन नो शान्तिं याति हप्तात्मनां मनः ।
स्तोकवृष्ट्या यथा तप्तभूमिसुष्मायतेतराम् ।। [અલ્પ જ્ઞાનથી ગર્વિષ્ઠ થયેલા જીવોનું મન શાંતિ પામતું નથી, જેમ થોડાક વરસાદથી તપેલી ભૂમિ વધારે ગરમ થાય છે તેમ.]
શ્રી યશોવિજયજી મહારાજે આ જ શ્લોકના ભાવાર્થરૂપ કડી શ્રી સીમંધરસ્વામીના સ્તવનમાં લખી છેઃ
આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહિયે, આતમજ્ઞાને તે ટળે, એમ મન સદ્દહિયે.
આતમતત્ત્વ વિચારીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org