________________
GO
જ્ઞાનસાર
શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી' ટીકામાં અનુયોગદ્વાર’નું વચન ટાંક્યું છે. તેમાં કહ્યું છે કે શિખવાયેલું, સ્થિર થયેલું, વારંવાર યાદ કરેલું અને ગુરુની વાચના દ્વારા પ્રાપ્ત થયેલું શ્રુતજ્ઞાન હોય, અને શિષ્ય તે વિશે વાચના, પૃચ્છના, પરાવર્તન અને ધર્મકથા કરતો હોય પરંતુ, તેની અનુપ્રેક્ષા ન કરતો હોય એટલે કે તે શ્રુતજ્ઞાનનું ભાવન ન કરતો હોય તો તે દ્રવ્યશ્રત છે.”
એટલા માટે જ્ઞાનના વિષયમાં અનુપ્રેક્ષા સૌથી મહત્ત્વની છે. [૩૬] વાવાં પ્રતિવાવાશ્ચવતોડનિશ્ચિતસ્તથા તે
तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ।। ५ ।। ४ ।। [શબ્દાર્થ: વીવાત્રવાદને, પૂર્વપક્ષને; વ=અને; પ્રતિવવાન—ઉત્તરપક્ષને; વન્તઃ=કહેનારા; નિશ્ચિત-અનિશ્ચિત, તત્ત્વના નિર્ણય વિનાના; તથા=તે પ્રમાણે; તસ્વીનાં તત્ત્વના પારને; નૈવે છ7=પામતા નથી જ; તિ–પીત્તવ=તલ પીલવાવાળાની જેમ, ઘાંચીના બળદની જેમ; તૌ=ગમન કરવામાં.]
અનુવાદ–અનિશ્ચિત અર્થવાળા વાદ (પૂર્વપક્ષ) અને પ્રતિવાદ (ઉત્તર પક્ષ) કહેનારા અને તે પ્રમાણે ગમન કરનારા ઘાંચીના બળદની જેમ, તત્ત્વનો પાર પામતા નથી. (૪).
વિશેષાર્થ : મનુષ્યનું મન ફળદ્રુપ છે. કોઈ પણ વાતમાં બુદ્ધિ દોડાવતાં એને વાર નથી લાગતી. કેટલાક ચતુર માણસો યુક્તિપ્રયુક્તિ કરવામાં, દલીલબાજી કરવામાં અત્યંત કુશળ હોય છે. કુતર્કથી સાચાને ખોટા અને ખોટાને સાચા કહી બતાવતાં તેઓને આવડતું હોય છે.
શાસ્ત્રગ્રંથો વિવિધ વિષયના છે. એનો સુયોગ્ય વ્યવસ્થિત અભ્યાસ વ્યક્તિના ચિંતનને વિશદ બનાવે છે. પરંતુ દરેક વસ્તુમાં વિવિધ દૃષ્ટિકોણ હોય છે. એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org