________________
૫. જ્ઞાનાષ્ટક
૭ ૧
વાદવિવાદની પ્રથા પરાપૂર્વથી ચાલી આવે છે. જૂના વખતમાં કેટલાક વાદ-વિવાદ રાજ્યાશ્રયે થતા. ક્યારેક એક ધર્મવાળા બીજા ધર્મવાળાને પડકાર ફેંકતા. આવી વાદસભાઓ મહિનાઓ સુધી ચાલતી. જે હારે તે કાં તો વિજયી વાદીનો શિષ્ય બની જાય અથવા રાજા એને દેશનિકાલની સજા કરે.
જેમ વધુ અભ્યાસ થાય. તીક્ષ્ણ અને પ્રત્યુત્પન્ન મતિ હોય તેમ વાદ-વિવાદ કરવામાં નિપુણતા કેળવાય. આવા વાદી થવાની પણ એક પ્રકારની મઝા હોય છે એને પ્રતિષ્ઠા મળે તથા પોતાનો મત સાબિત કરવાના સામર્થ્યની પ્રતીતિ થાય છે.
પરંતુ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વાદવિવાદ જ્યારે કરવામાં આવે ત્યારે કેટલીક બાબતો અનિશ્ચિત, અનિર્મીત જ રહે. કેટલાંક પદો (શબ્દો) કે વાક્યોના બે કે ત્રણ અર્થ થતા. વળી વાક્યના અન્વયમાં ફેરફાર થાય તો અર્થમાં ફેરફાર થાય. શબ્દશ્લેષની રચનાઓ પણ થતી. આથી વાદ-વિવાદમાં ગૂંચવણ થતી અને ક્યારેક છેલ્લે હાથોહાથની મારામારી કરી જીત મેળવાતી.
કેટલીક વાદસભાઓ સાચી, નિર્દોષ, પ્રામાણિક અને ધ્યેયલક્ષી રહેતી અને એનું ગૌરવ પણ થતું. સમર્થ વાદવિજેતાને ‘વાદી'નું બિરુદ પણ અપાતું. આપણા કેટલાક પૂર્વાચાર્યો ‘વાદી' તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે.
પરંતુ કેટલાક વાદવિવાદો માત્ર જયપરાજય માટે જ થાય છે. કેટલાક વાદ, વાદી કે પ્રતિવાદીને યશ અપાવવા અને સામા પક્ષને અપયશ અપાવવા માટે જ થાય છે. કોઈ વાદી આવા આશયથી શાસ્ત્રોનો અભ્યાસ કરે તો તે એની રાગદ્વેષની પરિણતિ વધારનાર થાય છે. એવા વિવાદમાં વસ્તુ-તત્ત્વનો નિર્ણય થતો નથી, કારણ કે કેટલાય શાસ્ત્રવાક્યોના અર્થ અનિશ્ચિત હોય છે. કેટલાક વિવાદમાં બંને પક્ષને છેલ્લે કહેવું પડે કે તત્ત્વ વનીકાળ્યું. કેટલાક વાદમાં જ્ઞાનનો સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. વળી આવી શુષ્ક ચર્ચાથી કંઠશોષ થાય, પણ આત્માનુભૂતિ ન થાય. તો પછી આવા વાદ-વિવાદો કરવાનું પ્રયોજન શું? જે વિવાદો છેલ્લે પાછા હતા ત્યાં જ આવીને અટકી જવાના હોય એવા વાદવિવાદો તો ઘાંચીના બળદની જેમ હતા ત્યાં ને ત્યાં જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org