________________
૭૨
સાધકે શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ શુષ્ક વાદવિવાદ કરવાને બદલે સ્વરૂપાનુભવ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરવો હિતાવહ છે.
[૩૭] સ્વદ્રવ્યમુળપર્યાયચર્ચા વર્યા પાડન્યથા ।
इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुने: ।। ५ ।। ५ ।।
જ્ઞાનસાર
[શબ્દાર્થ: સ્વદ્રવ્યમુળપર્યાય=પોતાના દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં; ચર્યા=પરિણતિ; વર્યા=શ્રેષ્ઠ; પરા=અન્ય પરિણતિ; અન્યથા અન્ય પ્રકારે; કૃતિ=એમ; વત્ત =આપ્યો છે; આત્મસંતુષ્ટિ:=આત્માને સંતોષ જેણે; મુષ્ટિજ્ઞાનસ્થિતિ:=મૂઠીમાં સમાય એવા જ્ઞાનની સ્થિતિ, સંક્ષેપમાં રહસ્યજ્ઞાનની મર્યાદા; મુદ્દે =મુનિની.]
અનુવાદ-સ્વદ્રવ્યગુણપર્યાયમાં પરિણતિ શ્રેષ્ઠ છે; પરમાં (પર દ્રવ્યગુણ પર્યાયમાં પરિણતિ) શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે મુનિના જ્ઞાનનો સંક્ષિપ્ત સાર છે. એણે એના આત્માને સંતોષ આપ્યો છે. (૫)
વિશેષાર્થ : અહીં મુષ્ટિજ્ઞાનની વાત કરવામાં આવી છે. મુષ્ટિ એટલે મૂઠી. મનુષ્યના શરીરમાં એવી જો કોઈ રચના હોય કે જેમાં તે પોતાને મળેલી વસ્તુ વધુ વખત સાચવી શકે તો તે મૂઠી છે. નાના બાળકને કંઈ આપ્યું હોય તો તે મૂઠીમાં, ક્યારેક બેય હાથની મૂઠીમાં લે છે. શરીરના પ્રમાણમાં મૂઠી નાની છે. પરંતુ નાની હોવા છતાં કિંમતી વસ્તુ સાચવવામાં એ વિશેષ કામ લાગે છે. પોતાની મૂઠી દિવસરાત પોતાની પાસે જ હોવાથી સાચવવાની જે કોઈ વસ્તુ હોય તે બીજાને આપવાની કે બીજે મૂકવાની જરૂર નથી રહેતી. વળી મૂઠી સુલભ હોવાથી અંદર રાખેલી વસ્તુ ગમે ત્યારે, ગમે તેટલી વાર જોઈ શકાય છે. મૂઠીની વસ્તુ એટલે હાજરાહજૂર.
Jain Education International
વળી, કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો બંધ મૂઠીનો સંકેત કામ લાગે છે. શાસ્ત્રકારો એટલા માટે અહર્નિશ યાદ રાખવા માટે, પાસે રાખવા માટે સંક્ષિપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org