________________
૫. જ્ઞાનાષ્ટક
અર્થગર્ભ, રહસ્યપૂર્ણ સૂત્રોને ‘મુષ્ટિજ્ઞાન' તરીકે ઓળખાવે છે. બીજું બધું ભૂલાઈ જાય તો પણ મૂઠીમાં રાખેલું સૂત્રાત્મક જ્ઞાન છેવટ સુધી પાસે ને પાસે જ રહે છે. મૂઠી સદ્યસુલભ છે. [એટલા માટે જૂના વખતમાં રમત રમનારાઓમાં કહેવત હતી કે ઓટીમાંનો (વસ્ત્રમાં કેડે રાખેલો) હારે અને મૂઠીમાંનો જીતે.]
ઉપાધ્યાયજી મહારાજ અહીં આત્મજ્ઞાનના સાધક મુનિઓને કહે છે કે પોતાના આત્મદ્રવ્યના ગુણપર્યાયમાં રમણતા એ જ સર્વશ્રેષ્ઠ સાધના છે. પરદ્રવ્યના ગુણપર્યાયમાં રમણતા એ ઇષ્ટ નથી.
26
જડ પદાર્થોના સુખ પાછળ દોડી જવું એ જીવનો અજ્ઞાનવશ સ્વભાવ છે. ભવાભિનંદી જીવો પૌદ્ગલિક સુખને જ સર્વશ્રેષ્ઠ માને છે. પરંતુ એવાં સુખો તે સુખાભાસ છે, અનિત્ય છે અને સંસારમાં રખડાવના૨ છે. એની આસક્તિ રાખવી તે મિથ્યા છે. પોતાનો દેહ, ઘર, પત્ની, પુત્ર, પરિવાર, માલમિલકત, ધનવૈભવ, યશકીર્તિ ઇત્યાદિ બધાં જ પ૨-દ્રવ્ય છે, પર-ગુણ છે, પર-પર્યાય છે. એનું પરિણમન ભવભ્રમણનું કારણ બને છે. કહ્યું છેઃ
पर संगेण बंधो मुक्खो परभावचायणे होइ । सव्वदोसाण मूलं परभावाणुभवपरिणामो ||
[૫૨ભાવના સંગથી બંધ થાય છે, પરભાવના ત્યાગથી મોક્ષ થાય છે. પરભાવના અનુભવનું પરિણામ સર્વ દોષોનું મૂળ છે.]
પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણમાં પરિણતિ શ્રેષ્ઠ છે. મુનિને માટે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ આત્મા છે.
સ્વદ્રવ્ય એટલે પોતાનું આત્મદ્રવ્ય. એના ગુણો એટલે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચારિત્ર ઇત્યાદિ. પર્યાય એટલે ક્રમિક પ્રગટતી અને નાશ પામતી અવસ્થા. આત્મા અશુદ્ધ પર્યાયોથી આવૃત્ત થાય છે, એટલે કે આવ૨ાય છે અને શુદ્ધ પર્યાયથી પ્રગટ થાય છે. પરભાવમાં રમણતા એ અશુદ્ધ પર્યાય છે અને આત્મામાં, સ્વસ્વરૂપમાં ચર્યા એટલે કે રમણતા એ શુદ્ધ પર્યાય છે અને તે જ શ્રેષ્ઠ ચર્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org